SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મદાનવીy G માળિય જયન્તદ્વારના સંબંધમાં પણ એ જ પ્રમાણેનું કથન છે, જેમકે-જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે હે ભદન્ત ! લવણ સમુદ્રનું જયન્ત નામનું દ્વાર કયાં આવેલ છે ? તેના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે-હે ગૌતમ ! લવણસમુદ્રની પૂર્વ દિશાના અંતમાં અને ધાતકીખંડના પૂર્વાર્ધથી પશ્ચિમ ભાગમાં સીતા મહાનદીની ઉપર લવણસમુદ્રનું આ જયન્ત નામનું દ્વાર છે, તેની ઉપર આઠ આઠ મંગળદ્રવ્ય છે, તેનું સઘળું વર્ણન જબૂદ્વીપમાં આવેલ જયન્તદ્વારના વર્ણન પ્રમાણે છે. અહીં રાજધાની જયન્ત દ્વારના પશ્ચિમભાગમાં કહેવી જોઈએ. “gવં અવનિ વિ અપરાજીત દ્વારના સંબંધમાં પણ એજ પ્રમાણેનું કથન કહેવું જોઈએ. અર્થાત્ જ્યારે ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે-લવણ સમુદ્રનું અપરાજીત નામનું દ્વાર ક્યાં આવેલ છે ? ત્યારે ગૌતમસ્વામીને પ્રભુશ્રીએ કહ્યું કે-હે ગૌતમ ! લવણ સમુદ્રની ઉત્તર દિશાના અંતમાં અને ધાતકીખંડના ઉત્તરાર્ધની દક્ષિણદિશામાં લવણસમુદ્રનું અપરાજીત દ્વાર છે. તેના સંબંધનું કથન પણ વિજય દ્વારના કથન પ્રમાણે જ છે, અહીંયાં રાજધાની અપરાજીત દ્વારની ઉત્તર દિશામાં છે, તે સિવાય બાકીનું સઘળું કથન વિજય રાજધાનીના કથન પ્રમાણે જ છે. 'लवणस्स णं भंते ! समुहस्स दारस्स एस णं केवइयं अबाधाए अंतरे पण्णत्ते' હે ભગવન્ ! લવણ સમુદ્રના એક એક દ્વારા અંતરાલની અવ્યાઘાતરૂપ અબાધાથી કેટલું અંતર કહેલ છે ? અર્થાત્ લવણસમુદ્રના દ્વારોનું પરસ્પરમાં કેટલું અંતર છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયT! તિomય સંયના પંજાનવરું મને સવું હો ગોરબfસત્તા વોહં તરે જીવળે” હે ગૌતમ ! એક કેસ અધિક ત્રણ લાખ પંચણ હજાર બસ એંસી જનનું એક દ્વારથી બીજા દ્વાર સુધીનું અંતર કહેલ છે. તેનું તાત્પર્ય એવું છે કે એક એક દ્વારની પ્રથતા (પહોળાઈ) ચાર ચાર એજનની છે, એક એક દ્વારમાં એક એક દ્વાર શાખા કે જે એક એક કેસ જેટલી મોટી છે, એ જ પ્રમાણે દ્વારશાખાઓ એક એક કારમાં બખે છે, એ રીતે એક એક દ્વારમાં પુરી પૃથતાને જ્યારે વિચાર કરવામાં આવે છે તે એ સ્થિતિમાં એ સાડાચાર એજનની થઈ જાય છે. અને ચારે દ્વારાની આ પૃથતા ૧૮ અઢાર યોજનની થઈ જાય છે. હવે લવણસમદ્રની પરિધિનું પરિમાણ જે પંદર લાખ એકયાસી હજાર એકસે ઓગણચાળીળ જનનું કહેલ છે. તેમાંથી આ ૧૮ અઢાર યોજનને ઓછું કરવાથી જે સંખ્યા બચે છે. તેમાં ચાર ભાગાકાર કરવાથી જે શેષ આવે તે દ્વારનું પરસ્પરનું અંતર આવી જાય છે, અને તે અંતર ત્રણ લાખ પંચાણુ હજાર બસે એંસી જન અને એક કેસ વધારે જ થાય છે, કહ્યું પણ છે કે असिया दोन्निसया पणनउइसहस्स तिन्निलक्खाय ।। कोसेय अंतरं सागरस्स दाराणं विन्नेयं ॥ १ ॥ જીવાભિગમસૂત્રા ૧૪૩
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy