SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ધર્મોપદુશકા વર્ણન તળ શાહેળ' ઇત્યાદિ. જે વખતે ધન્યકુમાર મનુષ્ય ભવસંધી પાંચ પ્રકારના વિષય સુખેને અનુભવ કરી રહ્યા હતા. તે કાલ તે સમયે કાકન્દી નગરીમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ પધાર્યાં, તે નગરનિવાસિની પરિષદ ભગવાનને વાંઢવા માટે ગઈ. જે પ્રકારના ઠામ–માટે તેમજ ભકિતની સાથે સમ્રાટ કેણિક ભગવાન મહાવીર સ્વામીને વન્દના ગયા તેજ પ્રમાણે કાકન્દીનારાજા જિતશત્રુ પણ ભગવાનને વન્દના ગયા. (સૂ૦ ૪) ‘તપળ તસ’ ઇત્યાદિ, ત્યાર પછી જિતશત્રુરાજાના જાવા સમયે કાકન્દી નગરીનિવાસી મનુષ્યના પરસ્પર વાર્તાલાપથી ઉત્પન્ન થતા કોલાહલથી ભગવાનનું આગમન જાણી ધન્યકુમારને હૃદયે આ પ્રમાણે વિચારે ઉત્પન્ન થયા. ધર્મની આદિ કરવાવાળા, ધર્મ-તીર્થની સ્થાપના કરનાર, ધનાયક, ધર્મમ્મૂ– સાથે વાહ, ચરમ તીર્થંકર ભગવાન શ્રી વર્ધમાન સ્વામી કાન્તી નગરીની બહાર સહસ્રમ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યાં છે. સમસ્ત મનુષ્ય તેમને વઢવા માટે જઇ રહ્યા છે. એટલે તે લેાકેાના અંદરો અંદર વાર્તાલાપથી થતો કેટલાહલ સભળાય છે. ઉપરાકત મહાન ગુણૈાથી યુકત એવા અન્ત ભગવાનનાં નામ માત્રનાં શ્રવણથી મહાફળની પ્રાપ્તિ થાય છે. તેા પછી તેમની સન્મુખ દર્શનાર્થે જતાં તથા તેમની સેવા કરતાં ફળનું તા કહેવું જ શું. એ પ્રમાણે વિચાર કરી, જે ભાવ અને ભકિતથી ભગવાનને જમાલિ વન્દન કરવા ગયા હતા તેજ પ્રમાણે ધન્યકુમાર પણ ગયા અહિં વિશેષતા એ છે કે જમાલિ રથમાં બેસી ભગવાનને વંદવા ગયા હતા. ત્યારે ધન્યકુમાર પેાતાને અનેક વાહને હાવા છતાં પણ કોઈ જાતના વાહન સિવાય પગથી ચાલીને ગયા. ત્યાં જઈને તેમણે ભગવાનને વિવિધ વન્દન કર્યા તથા ધ દેશના શ્રવણ કરવા ભગવાનની સમીપે શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૨૧
SR No.006437
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy