SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ પ્રશ્નોત્તર ત્તા છે તે ઈત્યાદિ. જાલિકુમારના શરીર છુટયા બાદ તેમના સમીપવતી સ્થવિરાએ જાલિકુમાર અણગારને કાલગત થયા જાણે પરલોકગમનહેતુક કાર્યોત્સર્ગ કર્યો. તદનન્તર જાલિકુમારના પાત્ર-ભિક્ષાપાત્ર આદિ, વસ્ત્ર-દોરા સહિત મુખવસ્ત્રિકા, લપટ્ટ, ચાદર, રજોહરણ આદિ ધર્મોપકરણ લઈને વિપુલાચલ પહાડથી ઉતરી ભગવાન મહાવીર સ્વામીની સેવામાં ઉપસ્થિત થયા, અને વન્દન નમસ્કાર કરી આ પ્રમાણે બેલ્યા. હે ભગવન્! કાલપ્રાપ્ત જાલિકુમારના આ ધર્મોપકરણો છે. ત્યારબાદ હે ભગવદ્ ! એવું સાધન કરી ભગવાન ગૌતમ સ્વામી શ્રમણ ભગવન્ત મહાવીરને અત્યન્ત-વિનય-સહિત આ પ્રમાણે પૂછવા લાગ્યા...હે ભગવન્! દેવતાઓ દ્વારા સેવિત ભદ્રપ્રકૃતિવાળા આપના સુશિષ્ય જાલિકુમાર અણગાર કાળ કરીને કયાં ગયા? અને કયાં ઉત્પન્ન થયા? ભગવાન મહાવીર કહે છે,–હે ગૌતમ ! મારે સુશિષ્ય જાલિકુમાર અણગાર સ્કન્દક ઋષિની જેમ પિતાના ઔદારિક શરીરને છડી ચન્દ્ર આદિ બારેય દેવલોક અને નવ વેયકને ઓળંઘી વિજય નામના પહેલા અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયે છે. શ્રી ગૌતમસ્વામી પુન: પ્રશ્નન કરે છે – હે ભગવન્! વિજય વિમાનમાં જાતિકુમાર દેવની કેટલી સ્થિતિ છે? ભગવાને કહ્યું- હે ગૌતમ! બત્રીસ સાગરોપમની સ્થિતિ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જાલિકુમારદેવ પિતાની દેવસંબધી આયુ, ભવ અને સ્થિતિને પૂર્ણ કરી ક્યાં જશે? તથા કયાં ઉત્પન્ન થશે? શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૨.
SR No.006437
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy