SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ એજ વાત “નવાં વવહારનચરણo? વિગેરે સૂત્રપાઠથી સ્પષ્ટ કરી છે. “ gi માળે હોાિ સંનિદિયા ” આ ભ્રમરસૂત્રના કથન પ્રમાણે મંજીષ -મજીઠમાં લાલવર્ણપણુ, અને નિશ્ચયના મત પ્રમાણે પાંચ વર્ણપણુ બે પ્રકારના ગંધ યુક્તપણુ, પાંચ પ્રકાર નારસપણુ આઠ પ્રકારના સ્પર્શ પણું સમજવું, કેમ કે મજીઠ વર્ણ વિગેરે સર્વ ગુણવાળા પરમાણ્વી બને છે. “પીરિયા હોઢિા” વ્યવહારનયના મન્તવ્ય પ્રમાણે હલદર પીળા વર્ણવાળી છે. અને નિશ્ચયનયના મત પ્રમાણે—પાંચ વર્ણવાળી બે ગધવાળી, પાંચ રસવાળી, અને આઠ સ્પર્શ વાળી છે.-“પુષ્ટિ સં” આજ પ્રમાણે શંખમાં વેતગુણ જણાય છે. જેથી થવહારનય પ્રમાણે તેનું જ તેમાં મુખ્યપણું છે. તથા નિશ્ચય નયના મત પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ છે. “હુfમાં જો સુગંધી દ્રવ્યોના સમૂહથી જે વસ્તુ વિશેષ બને છે, તે કોષ્ટ પુટ વાસક્ષેપ કહેવાય છે. વ્યવહારનયના મંતવ્ય પ્રમાણે તે સુંગધગુણવાળે માનેલ છે. અને નિશ્ચય નયના મત પ્રમાણે તેને પૌલિક વીસ જ ગુણવાળે માનેલ છે. એજ રીતે “દુમિiધે માગણી” વ્યવહારનયના મત અનુસાર મરેલ શરીર દુર્ગધ ગુણવાળું માનેલ છે. અને નિશ્ચયનયના મંતવ્યાનુસાર તેને પાંચ વણું બે ગંધ પાંચ રસ અને આઠ સ્પર્શવાળું માનેલ છે. “તિ નિં” વ્યવહારનયના મત પ્રમાણે લીંબડાને ખાટે માનેલ છે. અને નિશ્ચયનયના મંતવ્યાનુસાર તે પાંચવર્ણવાળ, પાંચરસવાળે બે ગંધવાળે અને આઠ પ્રકારના સ્પર્શવાળે માનેલ છે. “દુચા ડુંટી” વ્યવહારનયના મંતવ્ય પ્રમાણે સુંઠકડવા રસવાળી કહી છે, અને નિશ્ચયનયના મત પ્રમાણે તે પાંચવણું, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શવાળી માનવામાં આવેલ છે. “સાણ ઋવિ” કપિત્થ-કઠું કષાય-તુરા રસવાળું કહેલ છે. વ્યવહારનયના મત પ્રમાણે પાંચવર્ણ પાંચરસ, બે ગધ અને આઠ સ્પર્શવાળું માનેલ છે. “વા અંતરિયા” એજ રીતે વ્યવહારનયના મત પ્રમાણે કેરી ખાટી માનવામાં આવી છે કેમકે તેનામાં મુખ્ય પણે તે રસ રહેલ છે. અને નિશ્ચયનયના મત પ્રમાણે તેમાં પાંચે રસ, પાંચે વર્ણ, બે ગંધ અને આઠ સ્પર્શ રહેલા છે. “મદુરે ' વ્યવહાર નયના મત પ્રમાણે ખાંડ મીડી જ છે. અને નિશ્ચયનયના મત પ્રમાણે તેમાં પાંચવર્ણ, પાંચરસ, બે ગંધ અને આઠ પ્રકારના સ્પર્શ રહેલા છે. “ ક વ્યવહારનયના મત પ્રમાણે વજ કર્કશ છે. (કઠોર) સ્પર્શવાળું છે. અને આઠ સ્પર્શવાળું છે. “જવળg” વ્યવહારનયની અપેક્ષાથી માખણ મૂહ -કમળ સ્પર્શવાળું છે. અને નિશ્ચયનયના મંતવ્ય પ્રમાણે તે પાંચવર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠે સ્પર્શવાળું છે. “હા રાણ” લેતું-વ્યવહારનયના શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૨૧.
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy