SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જૂ, માકડ, માખી આદિ ચતુરિન્દ્રિય જીવાને દશમશક કહે છે. એવાં જીવા તથા ડાંસ, મચ્છર આદિ વાના ઉપદ્રવ થાય ત્યારે ખિન્ન ન થતા, તેના ત્રાસને સમભાવ પૂર્વક સહન કરવા તેનું નામ દશમશક પરીષહ છે. દશમશકને પરીષહ ગણવાનું કારણ એ છે કે તેએ શરીરમાં કષ્ટ ઉત્પન્ન કરે છે, છતાં પણ તેમને ભગાડવા નહી, તેમના ભય ન રાખવા, તેમના ઉપર દ્વેષ ન કરવા અને તેમના દ્વારા ઉત્પાદિત કષ્ટને શાંતિથી સહન કરવું તેનું નામ જ દૅશમશકે પરીષહુ છે. “ અચેલ ” એટલે વજ્રના અભાવ હાય છે. સ્થવિર કલ્પિએ જીણુ, ખંડિત, અલ્પમૂલ્યવાળા અને પ્રમાણૢાપેત વસ્ત્ર રાખે છે. છતાં પણ તેમને અચેલ જ ગણવામાં આવે છે. અને તે પ્રકારના પરીષહુને અચેલ પરીષહ કહે છે મેાહનીય જન્ય માનસિક વિકારનું નામ રતિ છે, તે તેને પ્રસંગ આવી પડે ત્યારે તેમાં રતિ-રુચિ રાખ્યા વિના ધૈય`પૂર્ણાંક તેને સહન કરવી તેનું નામ અતિપરીષહ છે. સાધક પુરુષ કે સ્ત્રીએ પેાતાની સાધનામાં વિજા તીય આકર્ષણથી લલચાવું જોઈએ નહી. તેમણે મૈથુન સેવનને ત્યાગ કરવા જોઈએ-બ્રહ્મચય પાળવું જોઇએ તેનું નામ જ સ્રીપરીષહ છે. અંગીકાર કરેલા ધર્માં જીવનને પુષ્ટ કરવાને માટે અસંગ ખનીને જુદાં જુદાં સ્થાનામાં-ગામ, નગર આદિમાં વિહાર કરવા-તેમાં નિયતવાસ ન સ્વીકારવા તેનું નામ ચર્ચો પરીષહ છે. શૂન્યાગાર ( સૂનાં ઘર ) આદિ રૂપ સ્વાધ્યાય ભૂમિને નૈષધિકી કહે છે-તેને સહન કરવું એટલે કે સાધનાને અનુકૂળ એકાન્ત સ્થાનમાં મર્યાંદિત સમય સુધી આસન જમાવીને બેઠા હૈાય ત્યારે ભયને પ્રસંગ આવી પડે તે તેને બિલકુલ નિર્ભય બનીને સહી લેવા તેનું નામ નૈષધિકી પરીષહુ છે. કામળ કે કઠિન, ઊંચી કે નીચી, સહજ ભાવે જેવી મળે એવી જગ્યામાં સમભાવપૂર્વક રહેવું તેનું નામ શય્યાપરીષહુ છે. કાઈ પણ વ્યક્તિ ગાળા દે, અપ્રિય અને કઠોર વચન સ'ભળાવે, તે તેને સત્કાર સમાન ગણીને સહન કરી લેવા તેનું નામ આક્રોશ--પરિષદ્ધ છે. કાઇ પણ ઋક્તિ લાકડી આદિ વડે માર મારે, તે પણ તેને આનંદપૂર્વક સહન કરવા તેનું નામ વધપરીષહ છે. ભિક્ષામાં માન-અપમાનનેા વિચાર ન કરવા એટલે કે દીન ભાવ કે અભિમાન રાખ્યા વિના માત્ર સમયયાત્રાના નિભાવ અર્થે યાચકવૃત્તિ સ્વીકારવી તેનું નામ યાચના પરીષહ છે. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તેા દીનતા નહી કરવી, પ્રાપ્તિના અભાવને સહન કરવેા, અભીષ્ટ વસ્તુ ન મળે તેા પ્રાપ્તિને બદલે અપ્રાપ્તિને જ સાચુ' તપ માનવું અને તેમાંજ સતાષ માનવા તેનું નામ અલાલ પરીષહ છે. રાગ-રાગજન્ય પીડાને સહન કરવી, ચિકિત્સા કરાવવાના ભાવ ન રાખવા એટલે કે રાગજન્ય પીડાને વ્યાકુલ થયા વિના સમભાવપૂર્ણાંક સહન કરવી તેનું નામ રાગપરીષહ છે. તૃણુ કુશાદિકાના સ્પજન્ય દુઃખને સમતાપૂર્ણાંક સહન કરવું-એટલે કે સ`થારામાં અથવા તેા અન્યત્ર તૃણાદિની તીક્ષ્ણતા કે કઠારતાના અનુભવ કરવા પડે, તે તે સમયે મૃદુશાનું સેવન કરતા હાઈએ તેવા ભાવ રાખવે તેનું નામ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૩૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy