SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ पुरिसो बंधइ, तहेव जाव नो इत्थी, नो पुरिसो, नो नपुंसओ बाधइ ?" હે ભદન્ત ! આ સાંપરાયિક કર્મ શું સ્ત્રી બાંધે છે, કે પુરુષ બાંધે છે, કે નપુંસક બાંધે છે કે સ્ત્રીઓ બાંધે છે? કે પુરુષે બાંધે છે કે નપુંસકે બાંધે છે ? અથવા જે તે સ્ત્રી, ને પુરુષ કે ને નપુંસક હોય તે બાંધે છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“નોરમા !હે ગૌતમ! “રૂ વિ શંકુ, કુરિતો વિ રંધરૂ, કાર નjarો વિ વધ” સાંપરાયિક કર્મ સ્ત્રી પણ બાંધે છે, પુરુષ પણ બાંધે છે, નપુંસક પણ બાંધે છે, સ્ત્રીઓ પણ બાંધે છે, પુરુષે પણ બાંધે છે અને નપુંસક પણ બાંધે છે. તથા ને સ્ત્રી, ને પુરુષ અને ને નપુંસક પણ તે કર્મ બાંધે છે. (ગવા પણ ૨ અવળચરોવંધ) અથવા પૂર્વોક્ત સ્ત્રી આદિ જીવ પણ બાંધે છે અને વેદરહિત જીવ પણ તે કર્મ બાંધે છે. (વા પણ વાચા ય વંતિ) અથવા પૂર્વોક્ત શ્રી આદિ જો તથા વેદરહિત જીવો પણ સાંપરાયિક કર્મ બાંધે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-એકત્વ અને બહત્વની અપેક્ષાએ સ્ત્રી આદિ છે તો સાંપરાયિક કમ સર્વદા બાંધે છે. પરંતુ અપગત વેદવાળે જીવ તે કયારેક જ તે કર્મ બાંધે છે. કારણ કે અપગતવેદતા કયારેક સંભવે છે. તેથી સ્ત્રી આદિ કેવળ વેદ સહિત અવસ્થામાં પણ તેને બાંધે છે અને જ્યારે તેઓ અપગતવેદવાણા (દરહિત) થઈ જાય છે, ત્યારે પણ તેને બાધે છે. તેથી આપ તદવાળા જીવ તેને બાંધે છે એ અપેક્ષાએ અથવા તે સ્ત્રી આદિ જ સાંપરાયિક કર્મ બાંધે છે.” એવું કહેવામાં આવ્યું છે. “અપગતવેદવાળે જીવ તેને બાંધે છે,” એવું જે કહેવામાં આવ્યું છે તે એક જીવની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કારણ કે અપગ/દવાળો એક જીવ પણ હોઈ શકે છે. એટલે કે આ સ્ત્રી આદિ જેમાંથી કોઈ એક જીવ વેદરહિત પણ હોઈ શકે છે અને બાકીના જીવે વેદસહિત પણ હોઈ શકે છે, તથા “તે સ્ત્રી આદિ છે તેને બાંધે છે અને અપગતવેદવાળા છો તેને બાંધે છે, ” આ કથન ઘણું જેમાં અપગતવેદનાની સંભાવનાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણ કે તેમાં ઘણાં જ અપગતવેદવાળા પણ હોઈ શકે છે. અપગતવેદવાળા જીવ ત્યાં સુધી જ સાંપરયિક કમને બંધક હોય છે કે ત્યાં સુધી તે વેદત્રય (ત્રણ વેદ) ની ઉપશાંતિમાં અથવા તેની ક્ષીણતામાં યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી લેતું નથી. અહીં પૂર્વ પ્રતિપન્નક અને પ્રતિપદ્યમાનકની વાત કરવામાં આવી નથી કારણ કે તે બનેમાં એકત્ર અને બહત્વના સદૂભાવથી કોઈ વિશેષતા આવતી નથી. વેદની અગતતામાં સાપરાયિક કર્મને બંધ અ૫કાલિક જ હોય છે. તેમાં જે પૂર્વ પ્રતિપન્ન અપગત દવાળો જીવ સાંપરાયિક કર્મને બાંધે છે, એવો જીવ એક પણ હોઈ શકે છે. અને અનેક જીવે પણ હોઈ શકે છે. એ જ પ્રમાણે પ્રતિપદ્યમાનક પણ ત્યારે સાંપરાયિક કર્મ બાંધે છે, ત્યારે તે એક પણ હોઈ શકે છે અને અનેક પણ હોઈ શકે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ (
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy