SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ બીજરુચિ-અનેક અર્થના બેધક એક પદ દ્વારા પણ જે જીવમાં જીવાદિક પદાર્થો પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ જાય છે, તે જીવને બીજરુચિ સમ્યયત્વવાળે કહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે જીવ માત્ર એક જ જીવાદિ પદના જ્ઞાન દ્વારા અનેક તો પ્રત્યે શ્રદ્ધા રાખતે થાય છે, તે જીવને બીજરુચિ સમ્યકત્વવાળ કહે છે કહ્યું પણ છે કે-“g L છે જાઉં” ઈત્યાદિ. ર રીતે તેલનું એક જ ટીપું પાણીમાં નાખવામાં આવે, તો તે પાણીમાં સર્વત્ર ફેલાઈ જાય છે, એ જ પ્રમાણે જે જીવ આગમના એક જ પદને જાણીને અન્ય પદેને-બાકીના સમસ્ત વિષયને જાણું લે છે અથવા બાકીના સમસ્ત જિક્ત પદાર્થો વિષે પણ શ્રદ્ધાભાવયુક્ત બની જાય છે, એવા જીવને બીજ રુચિવાળે જીવ કહે છે. | અભિગમરુચિ-અભિગમ એટલે જ્ઞાન. જે જીવ પહેલાં આચારાંગ આદિ ૩૫ શતાંગના અર્થને જ્ઞાતા થાય છે અને ત્યાર બાદ જિનેક્તિ ત પ્રત્યે શ્રદ્ધાભાવયુક્ત થાય છે, એવા જીવને અભિગમરુચિ સમ્યકત્વવાળે જીવ કહે છે. કહ્યું પણ છે કે –“જો હો મામ ” ઈત્યાદિ આ સૂત્રપાઠને અર્થ સ્પષ્ટ છે, વિસ્તારરુચિ-સર્વનય અને પ્રમાણેને આધાર લઈને જ ધર્માસ્તિકાય આદિ પદાર્થોને જ્ઞાતા થાય છે, એવા જીવને વિસ્તારચિ સમ્યક્ત્વવાળે કહે છે. કહ્યું પણ છે કે-“શાળામાવા” ઈત્યાદિ. કિયારુચિ-પ્રતિલેખના આદિ ક્રિયાઓ પ્રત્યે જે જીવને રુચિ હોય છે એટલે કે પ્રતિલેખના આદિ કિયાઓ પ્રત્યે જે જીવને શ્રદ્ધા હોય છે તે જીવને કિયાચિ સમ્યકત્વવાળે કહે છે. કહ્યું પણ છે કે “હારૂવાળે” ઈત્યાદિ. સંક્ષેપરુચિ-સંક્ષેપમાં જેમને રુચિ હોય છે, એટલે કે કપિલાદિ પ્રણીત પરતીથિકાના દર્શનને જે જાણતા નથી, તથા જિનપ્રવચને પણ જે જ્ઞાતા હેતે નથી એ જીવ ચિલાતિ-પુત્રની જેમ કેવળ ઉપશમ આદિ પદત્રય વડે જિનોક્ત તત્ત્વ પ્રત્યે અભિરુચિવાળ બની જાય છે. તેથી એવા જીવને સંક્ષેપ રુચિ સમ્યકત્વવાળે જીવ કહે છે. કહ્યું પણ છે કે “fમાચિઠ્ઠિી” ઈત્યાદિ. ધર્મરુચિ–જેને મૃતચારિત્રરૂપ ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય છે–એટલે કે જિનેન્દ્ર દેવ દ્વારા પ્રરૂપિત અસ્તિકાયધમ, કૃતધર્મ અને ચારિત્રધર્મ પ્રત્યે જે જીવ શ્રદ્ધા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૨૩૮
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy