SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ નામ પૂર્ણભદ્ર અને મણિભદ્ર હશે. આ પ્રમાણે તેની સેનાઓનું સંચાલન કરતા દેવેને જોઈને તે શતતાર નગરના અનેક રાજેશ્વરો, તલવર, મડમ્બિક, કૌટ મ્બિકે, ઈ, શ્રેષ્ઠિઓ, સેનાપતિઓ, સાર્થવાહે આદિ ભેગા થઈને એ વિચાર કરશે કે “આપણુ મહારાજા મહાપદ્મની સેનાનું સંચાલન પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના મહદ્ધિક, મહાદ્યુતિક. મહાબલિષ્ઠ મહાયશસ્વી અને મહાસુખસંપન્ન દેવો કરે છે. તે હે દેવાનુપ્રિયા ! આપણા મહારાજા મહાપદ્મનું બીજું નામ દેવસેન શા માટે ન રાખવું ?” આ પ્રમાણે વિચાર કરીને તેઓ તેનું બીજું નામ દેવસેન રાખશે. આ પ્રકારે તેનું દેવસેન નામ પ્રચલિત થયા બાદ કેટલોક સમય વ્યતીત થયા પછી તેની હસ્તિશાળાની કેઈએક હાથણી એક સુંદર હસ્તિરત્નને જન્મ આપશે. તેનો વર્ણ સફેદ હશે, અને તે શંખ તલના એવો વિમલ હશે. તે હાથીને ચાર દંકૂશળ હશે. તે જોત શંખતલના જેવા વિમલ અને ચાર દંતૃશાળવાળા હાથી પર સવાર થઈને તે દેવસેન રાજા શદ્વાર નગરના રસ્તાઓ ઉપર થઈને વારંવાર અવરજવર કરશે તેને એવા સંદર હાથી પર બેસીને શતદ્વાર નગરમાં વિચરતે જોઈને પર્વોક્ત રાજેશ્વર, તલવર આદિ લેકે ફરી એકત્ર થઈને એ વિચાર કરશે કે “હે દેવાનું પ્રિયે! આપણું દેવસેન રાજાને સફેદ વર્ણન, શંખતલ જેવાં વિમલ, ચાર દંતશળવાળા હસ્તિરત્નની પ્રાપ્તિ થઈ છે. તે આપણું દેવસેન રાજાનું ત્રીજ નામ વિમલવાહન શા માટે ન રાખવું?” આ પ્રમાણે વિચાર કરીને તેનું ત્રીજું નામ વિમલવાહન રાખશે. તેઓ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહેશે. ત્યાર બાદ દેવત્વ પદની જેમણે પ્રાપ્તિ કરી છે એવા તેના માતાપિતા દ્વારા તેને બે અપાશે. સંબુદ્ધ થયેલા એવા તે વિમલવાહન ગુરુજનોની-કુટુંબના વવૃદ્ધ જનની આજ્ઞા લઈને શરદબાતુમાં સર્વશ્રેષ્ઠ મુક્તિમાર્ગની આરાધના નિમિત્તે અભૂમિભાગ નામના ઉદ્યાનમાં જશે. પ્રવજ્યા અંગીકાર કરવાને માટે જ્યારે તેઓ તે ઉદ્યાન તમ્ફ પ્રયાણ કરશે ત્યારે કાન્તિક દે ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેઝ, મનોમ, ઉદાર, કલ્યાણ સ્વરૂપ ધન્ય, શિવ મંગળવિધાયક અને શ્રીયુક્ત વાણુ વડે વારંવાર તેમની પ્રશંસા કરશે. આ પ્રકારે તેમના અભિનંદન અને હતુતિવચને ઝીલતે ઝીલતે તે શતદ્વાર નગરની બહાર આવેલા સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં પહોંચશે. ત્યાં તે એક દેવદૂષ્ય (દેવો દ્વારા અર્પણ થયેલું વસ્ત્ર) લઈને મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરશે. ત્યાર બાદ ૧૨ વર્ષ સુધી તેમના ઉપર જે કંઈ ઉપસર્ગો આવી પડશે ચાહે દેવકૃત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૧૧૮
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy