SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અનિશ્ચિત પશ્રિત થઈને જે શ્રમણ નિગ્રંથ સારી રીતે ચલાવે છે, તે શ્રમણ નિગ્રંથ જિનાજ્ઞાને આરાધક ગણાય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે શિષ્ય એ સંદેડ કર્યો છે કે શ્રમણ ન થે એક આગમ વ્યવહારને જ આધાર લેવું જોઈએ અને તેની મદદથી જ પિતાનો વ્યવહાર ચલાવો જોઈએ—અન્ય વ્યવહારોની આવશ્યકતા જ શી છે ! તે તેને ઉત્તર સૂત્રકારે અહીં આ પ્રમાણે દીધે છે- જે જે કાળે, જે જે પ્રજનમાં અથવા જે જે ક્ષેત્રમાં જે જે વ્યવહાર ઉચિત છે, અને તે તે કાળે, તે તે પ્રજનમાં અથવા તે તે ક્ષેત્રમાં જે જે વ્યવહાર સર્વ પ્રકારના આશંસા દેથી વિહીન બનેલા તીર્થકરો દ્વારા સ્વીકૃત થયેલ હોય, તે તે વ્યવહાર પ્રમાણે પિતાનો વ્યવહાર ચલાવનાર શ્રમણ નિગ્રંથ જ ભગવાનની આજ્ઞાને આરાધક ગણાય છે. અહી “ નિશ્રિતોઝિ” આ પદને “ વ્યવહાર ” આ પદનું વિશેષણ માનીને આ પ્રમાણે અર્ધ કરવામાં આવ્યું છે. પણ “નિશ્રિતોતિં ” આ પદને જે ક્રિયાવિશેષણ માનવામાં આવે તે આ પ્રમાણે અર્થ થાય છે અભિગ્રહ વિશેષની અપેક્ષાએ નવીન શિષ્યોને દીક્ષા ન દેનાર, અને જના શિ પાસે વૈયાવૃત્ય નહીં કરાવતા એવા અથવા રાગદ્વેષથી રહિત બનેલા એવા અથવા આહરાદિક લાભની ઈચ્છાથી અને ઉપાશ્રિત-શિષ્યદાયક કુલની અપેક્ષાથી રહિત બનતા થકા ક૫ (નિયમ) અનુસાર પૂર્વોક્ત વ્યવહારને ચલાવનાર શ્રમણ નિગ્રંથ જિનાજ્ઞાને આરાધક જ ગણાય છે. આ રીતે પાંચ પ્રકારના વ્યવહાર વડે વ્યવહાર કરવાનું ચલાવવાનું ભગવાને કહ્યું છે. જે સૂ. ૧૧ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy