SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યકે સ્વરૂપકા નિરૂપણ આ સમસ્ત કથન જિનેક્ત હોવાથી સત્ય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર સત્યનું નિરૂપણ કરે છે–ત્તરવિદે સરે ” ઈત્યાદિ– ટીકાર્યું—સત્ય ચાર પ્રકારનું કહ્યું છે–(૧) નામ સત્ય, (૨) સ્થાપના સત્ય, (૩) દ્રવ્ય સત્ય, અને (૪) ભાવ સત્ય. આ પદની વ્યાખ્યા સુગમ છે. છતાં તેનું સ્વરૂપ સમજવા માટે અનુગદ્વારની અનુગચન્દ્રિકા ટીકા વાંચી લેવી. છે સૂ. ૭૨ છે સત્ય ચારિત્ર વિશેષરૂપ હોય છે તેથી હવે સૂત્રકાર આ ઉદેશકની સમાપ્તિ થાય ત્યાં સુધીનાં સત્રમાં ચારિત્ર વિશેનું નિરૂપણ કરે છે– “બાળવિચાળ દિન તરે પv ' ઇત્યાદિ સાથ-આજીવિકેના ચાર પ્રકારનાં તપ અહીં પ્રકટ કરવામાં આવે છે–(૧) અગ્ર તપ, (૨) ઘેર તપ, (૩) રસનિહષ્ણુતા અને (૪) જિહુવેન્દ્રિય પ્રતિ સં લીનતા. ટીકાઈ-ગોશાલકના અનુયાયીઓને આજીવિકે કહે છે. તેઓ ઉગ્રત૫ આદિ ચાર પ્રકારની તપસ્યાઓમાં માને છે. તે પ્રત્યેકનું સ્વરૂપ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–અમ આદિ તપસ્યાને અગ્રતપ અથવા ઉત્કૃષ્ટ તપ કહે છે જેમાં આત્મા (જીવ)ની અપેક્ષા રાખ્યા વિના શરીર જાય તે ભલે જાય પણ કાર્ય સિદ્ધ કરીશ આ પ્રકારને ઘેર સંક૯પ હેાય છે, તે તપને ઘેરતપ કહે છે જે તપમાં ઘી આદિ રસને પરિત્યાગ કરવામાં આવે છે, તે તપને રસનિયૂહગતા કહે છે. જે તપમાં રસનેન્દ્રિય (સ્વાદ) પર કાબૂ રાખવામાં આવે છે, તે તપને જ રસનેન્દ્રિય પ્રતિસલીનતા તપ” કહે છે. તેમાં તપસ્વી મને અને અમ. જ્ઞ વિષયક રાગદ્વેષને ત્યાગ કરી નાખે છે. આજીવિકે આ ચાર તપને જ માને છે, પરંતુ જૈન સિદ્ધાન્તમાં તે ૧૨ તપ કહ્યાં છે. જે સૂ. ૭૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૧ ૨
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy