SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચાર કારણેનું કથન નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવને વિષે પણ ગ્રહણ કરવું જોઈએ. એ જ પ્રમાણે માન, માયા અને તેની ઉત્પત્તિનાં કારણે પણ સમજવા. વૈમાનિક પર્યન્તના જીવને આ કથન લાગુ પાડી શકાય છે. બીજી રીતે પણ ક્રોધ ચાર પ્રકારને કહ્યો છે–(૧) અનન્તાનુબંધી ક્રોધ, (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ, (૩) પ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ અને (૪) સંજવલન સંબંધી ક્રોધ. એ જ પ્રમાણે માન, માયા અને લેભના પણ ચાર પ્રકાર સમજવા. ક્રોધથી લઈને માન પર્યન્તના કષાની આ ચતુષ્પકારતાને નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવમાં સદ્દભાવ સમજો. ક્રોધના આ રીતે પણ ચાર પ્રકાર પડે છે-(૧) આભેગનિવર્તિત, (૨) અનાગનિવર્તિત, (૩) ઉપશાન્ત અને (૪) અનુપશાન્ત. આ પ્રકારનું કથન નારકની લઈને વૈમાનિક પર્યન્તના જી વિશે પણ મજવું. એ જ પ્રમાણે માન, માયા અને લેભના પણ ચાર પ્રકાર સમજવા. આ ચતુષ્પકારતા સદુભાવ નારકથી લઈને વૈમાનિકે પર્વતના છમાં પણ સમજ, વિશેષાર્થ–જે કર્મરૂપી ક્ષેત્રને સુખદુઃખ રૂપ ફલને ચેપગ્ય બનાવે છે, તે કષાય છે. અથવા જે જીવને કલુષિત (મલિન) બનાવે છે, તે કષાય છે. કહ્યું પણ છે કે-“સ ટુકત વહૂgિ ” ઈત્યાદિ. ૧ અથવા જે પ્રાણીની હત્યા કરે છે, તે કષાય છે. અથવા “કષ” એટલે કમ અથવા ભવ અને “આય” એટલે લાભ, આ રીતે કર્મ અથવા ભવને જેનાથી લાભ થાય છે તેને કષાય કહે છે. તે કષાયના ક્રોધાદિ ભેદે છે અને તે કર્મ અથવા ભવના કારણરૂપ છે. કર્મ અને ભવ, આ બંનેમાંથી કઈ પ્રાપ્તિકારક કાર્યમાં ક્રોધાદિક કારણભૂત બને છે, તેથી કાર્યકારણમાં અભેદે. પચાર સંબંધને અનુલક્ષીને કષાય પદથી ક્રોધાદિક ગૃહીત થયેલ છે. અથવા જે જીવને કષ (કર્મ અથવા ભવ) ની પ્રાપ્તિ કરાવે છે, તેનું નામ કષાય છે. તે કષાય ક્રોધાદિ રૂપ હોય છે. કહ્યું પણ છે કે-“૪ મો વા” ઈત્યાદિ. કષાયના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ. કેપ કરે તેનું નામ ક્રોધ છે. અથવા આત્મા જેના દ્વારા કેપ કરે છે તેનું નામ કોધ છે. એવો તે ક્રોધ ક્રોધમોહનીયના ઉદયથી જનિત થયેલ સ્વ–પર સંતાપક (પડક) જીવના એક પરિણામ વિશેષરૂપ હોય છે. અથવા મેહનીય કર્મ જ ક્રોધકષાય રૂપ છે. ૧ “ જાતિ આદિ ગુણોથી સંપન્ન છું, ” આ પ્રકારના જીવને જે અહં. કાર થાય છે તેનું નામ માને છે. તે માનમોહનીયના ઉદયથી જનિત એવું અન્યનું અપમાન કરનારું આત્માનું પરિણામવિશેષ છે. ૨ માયાકષાય–તે માયામહનીય કર્મના ઉદયથી જનિત અન્યને ઠગવારૂપ આત્માનું એક પ્રકારનું પરિણામ વિશેષ છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮૮
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy