SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ જા' જે સાધુના શરીરને પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક લેષ્ઠ નામના દ્રવ્ય વિશેષથી “સંવાહિક રા’ સંવાહન કરે અથવા “ifમણિકા વા’ પરિમર્દન કરે તે તેનું અર્થાત્ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સાધુના શરીરનું લેાચ્છાદિ પદાર્થ વિશેષથી સંવાહન કે પરિમર્દન ક્રિયારૂપ પરક્રિયાનું એ સાધુએ “ો સાવ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ એ કાય સંવાહનાદિ ક્રિયાની મનથી ઈચ્છા કરવી નહીં તથા “નો તં નિર’ વચન અને કાયાથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં અર્થાત્ એ ગૃહસ્થ શ્રાવકને કાયસંવાહન વિગેરે માટે વચનથી કે શરીરથી પણ પ્રેરણા કરવી નહીં. કેમકે- ગૃહરથ શ્રાવક વિગેરે દ્વારા કરવામાં આવનારી કાયસંવાહનાદિ કિયા એ પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધના કારણરૂપ હોય છે. તેથી સંસારના કર્મબંધનથી છુટકારો પામવા માટે દીક્ષા ગ્રહણ કરનારા સાધુએ આવા પ્રકારથી ગ્રસ્થ શ્રાવકાદિદ્વારા કરાતી કાયસંવાહનાદિ ક્રિયાની ઈચ્છા કરવી નહીં. અથૉત્ તન મન અને વચનથી એ કાયસંવાહનાઢિ ક્રિયાનું સમર્થન કે અમેદન કરવું નહીં, હવે સાધુના શરીરની તેલ વિગેરેથી માલીશ કરવી તે પરક્રિયા હોવાથી તે ન કરવા સૂત્રકાર કથન કરે છે તે પર જાથે વા’ જે સાધુના શરીરની પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક તેલથી અથવા “ળ વા’ ઘીથી અથવા માખણથી “પણા વા' અથવા વસ એટલે કે ઔષધિ વિશેષથી “મવિશ્વ વા’ પ્રક્ષણ અર્થાત માલીશ કરે અને “બરિંગ. જિજ્ઞ વા' અત્યંજન કરે છે તેનું અર્થાત્ તેલ વિગેરેથી શરીરમાં પ્રક્ષણ-માલીશ અને અભંજનનું સાધુએ “નો તેં સાચ’ આસ્વાદન કરવું નહીં અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા “નો તે નિચ' કાય અને વચનથી પણ એ માલીશ વિગેરે ક્રિયાનું સમર્થન કે અનુમોદન કરવું નહીં. એટલે કે એ ગૃહસ્થ શ્રાવકને વચનથી કે કાયિક ચેષ્ટા સંકેત દ્વારા પણ તેલ વિગેરેથી શરીરની માલીશ કરવા માટે પ્રેરણા પણ કરવી નહીં કેમ કે એ પ્રકારે શરીરની તેલ વિગેરેથી માલીશ કે અત્યંજન ક્રિયા પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ મનાય છે. તેથી સાંસારિક દરેક પ્રકારના કર્મબંધનથી મુક્ત થવા દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આ પ્રકારથી ગૃહસ્થદ્વારા શરીરની તેલ વિગેરેથી માલીશ કે અત્યંજન કરાવવું નહીં. અને તે કરવા માટે પ્રેરણા પણ કરવી નહીં. કેમ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૦૦
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy