SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ તેની સદા ઉપેક્ષા જ રહે છે. જે જીવમાં સ્વ–પરને વિવેક જાગ્રત રહે છે તે જ સંસારમાં સૌ વિદ્વાને કરતાં પણ અધિક વિદ્વાન છે. અનેક શાસ્ત્રને જાણકાર હોવા છતાં પણ જે જ્ઞાનથી શૂન્ય છે તે વિદ્વાન હોવા છતાં પણ સિદ્ધાંતની દૃષ્ટિમાં મૂખ જ છે. સૂ૦ ૧ દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો જિનધર્મથી વિમુખ વ્યક્તિ પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરવાવાળા મનુષ્યને વિદ્વાન કેમ માનવામાં આવેલ છે? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસા થવાથી કહે છે—અણુવીરૂ' ઈત્યાદિ. વિદ્વાન મનુષ્ય મનોવાક્કાયકે સાવધવ્યાપારરૂપ દણ્ડકે યાગી હોતે હૈ, અષ્ટવિધ કર્મોક ત્યાગી હોતે હૈં, ઉનકે શરીર શોભા સંસ્કાર આદિસે રહિત હોતે હૈ, અએવ વે સરલ હોતે હૈં એવું આરમ્ભજનિત દુઃખોકે અભિજ્ઞ હોતે હું વિદ્ધાનકે ઇસ સ્વરૂપકો સમ્યકત્વદર્શી-કેવલીને કહા હૈ જે મનુષ્ય વારંવાર વિચાર કરીને તથા જ્ઞાન દષ્ટિથી જોઈ મન, વચન અને કાયાના સાવઘવ્યાપારરૂપ દંડાથી રહિત થઈ જાય છે તે જ અનાદિ કાળથી એક જ ક્ષેત્રમાં રહેવાવાળા હોવાથી આત્માની સાથે બંધાયેલા પુરાતન અષ્ટવિધ કને–ધૂળ જેમ વસ્ત્રાદિકોને મલિન કરે છે તેમ આત્માને જેઓ મલિન કરી રહ્યા છે તેઓને–પિતાથી દૂર કરી નાખે છે, અને તે જ વિદ્વાન પણ છે. શિષ્ય જે પ્રશ્ન કરેલ હતું કે “જીનધર્મથી વિમુખ વ્યક્તિઓમાં ઉપેક્ષાભાવ ધારણ કરવાવાળી વ્યક્તિને ઉત્તમ વિદ્વાન કેમ માનવામાં આવે છે? - તેનું આ સમાધાન છે-ત્તીતિ વિદીન–અર્થાત્ જેની અંદર સ્વ-પરને વિવેક જાગૃત છે તે જ વિદ્વાન છે. આ પ્રકારની વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ આ વાતનું જ્ઞાનદષ્ટિથી વિચાર અવશ્ય કરવો જોઈએ કે આ કર્મો જે અનાદિ કાળથી મારા આત્માની સાથે દૂધ-પાણીની માફક એક થઈ રહ્યા છે તેનું કારણ શું છે? સૂમ વિચાર કરવાથી જ્ઞાત થશે કે એની સાથે હજી સુધી સંબંધ રહેવાનું કારણ મન, વચન અને કાયાની સાવદ્ય પ્રવૃત્તિ જ છે, માટે જેમ જેમ આ પ્રવૃત્તિ રોકાશે તેમ તેમ નવા કર્મોને આસવ અને સંચિત કર્મોની નિર્જરા થશે. મન, વચન અને કાયાની સાવદ્ય પ્રવૃત્તિ રોકવાને માટે તપ સંયમ આરાધના કરવાની આવશ્યકતા શાસ્ત્રકારોએ બતાવી છે. તપ સંયમની આરાધના કરવાથી સાવધ વ્યાપારના જેટલા જેટલા અંશે અભાવ થશે, તેટલા તેટલા અંશે આત્મામાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧ ૩
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy