SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના ત્રણ પુંજ કરવાની શક્તિથી શૂન્ય રહે છે. તેથી આ અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરીને અને અન્તરકરણ કરીને ઉપર બતાવેલી રીતિથી સર્વ પ્રથમ ઓપશમિક સભ્યત્વને પ્રાપ્ત કરે છે. અન્તર્મુહૂર્તની પથમિક સમ્યક્ત્વની સ્થિતિનો અનુભવ કરીને પછી તેના પૂર્ણ થતાં જ અવશ્ય સર્વપ્રતિપાતથી તે પુનઃ મિથ્યાત્વી થઈ જાય છે. જે (૨) તીવિશુદ્ધપરિણામી હોય છે તે અપૂર્વકરણમાં રહીને મિથ્યાત્વના ત્રણ પંજ કરીને પછી અનિવૃત્તિકરણમાં પ્રવિષ્ટ થઈને સમ્યકૃત્વમોહનીય jજના ઉદયથી સર્વ પ્રથમ ક્ષાપશમિક સમ્યક્ત્વને લાભ કરે છે, ઉપશમસમ્યક્ત્વને નહિ. પશમિક-સમ્યક્ત્વના બે ભેદ છે (૧) એક ગ્રન્થિભેદજન્ય અને બીજે (૨) ઉપશમશ્રેણિભાવી. આમાં ગ્રથિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વ મન્દવિશુદ્ધિપરિણામવાળા જીવને થાય છે. બીજું ઉપશમશ્રેણિ પ્રાપ્ત જીવને થાય છે. ઉપશમશ્રેણિપ્રાપ્ત જીવ નિયમથી ત્યાંથી સર્વ દેશના પ્રતિપાતથી અથવા એક દેશના પ્રતિપાતથી નીચેના ગુણસ્થાનમાં આવીને આખરે મિથ્યાત્વગુણસ્થાનને પ્રાપ્ત થઈ જાય છે. જેવી રીતે જન્માંધને નેત્રને લાભ થતાં જ પદાર્થોની પ્રતીતિ કઈ જાતના સંદેહ વિના સ્કુટરૂપથી થવા માંડે છે, તે પ્રકારે આ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જ જીવાદિ પદાર્થોની પ્રતીતિ પણ કઈ જાતના સંદેહ વગર સ્કુટરૂપથી જીવને થાય છે. તથા જે પ્રકારે નિર્દોષ ઔષધના સેવનથી રેગને નાશ થતાં જ રોગી પુરૂષ અપૂર્વ આનંદને અનુભવ કરે છે તેવી રીતે મિથ્યાત્વ–મહાગને નાશ થતાં જ આ સમ્યક્ત્વવાળા જીવ પણ અપૂર્વ આનંદને અનુભવ કરે છે. પ્રન્જિ–ભેદથી ઉત્પન્ન સમ્યક્ત્વ (પશમિક–સમ્યક્ત્વ) અનાદિમિથ્યાદષ્ટિ ભવ્ય અને થાય છે. આ સમ્યક્ત્વનું બીજું નામ પ્રથમોશમ–સમ્યક્ત્વ પણ છે. ઉપશમશ્રેણિગત જીવોને જે સમ્યક્ત્વ થાય છે તે ઉપશમશ્રેણિભાવી ઓપથમિક-સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનેમાંથી કેઈ એક ગુણસ્થાનમાં થઈ શકે છે, પરંતુ આઠમા ગુણસ્થાનમાં તો તેની પ્રાપ્તિ જીવને અવશ્ય જ થઈ જાય છે. મિથ્યાત્વના ત્રણ પુંજ કર્યા બાદ જીવ આ ત્રણ પુજેમાંથી એક સમ્યક્ત્વમેહનીયjજના ઉદયથી ક્ષાપથમિક સમ્યકત્વની પ્રાપ્તિ કર્યા કરે છે. આ જે વાત ઉપર કહેવાઈ ગઈ છે ત્યાં આ પ્રકારને કેમ સમજવું જોઈએ કેવળી વિગેરેનું વચન સુણુને અથવા જાતિસ્મરણાદિથી સમ્યક્ત્વના સ્વરૂપને જાણીને અપૂર્વકરણમાં જેને પરિણામ વૃદ્ધિગત થઈ રહ્યો છે, એ જીવ દર્શનમોહનીય કર્મને, જેનું બીજું નામ મિથ્યાત્વપુદ્ગલ છે તેને એકસાથે ત્રણ ભેદમાં, અર્થાત્ મિથ્યાત્વમાહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયના રૂપમાં પરિણમે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૧
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy