SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ આ અઢી દ્વીપમાં મનુષ્ય-જમમાં જ જીવાને જ્ઞાનાદિક રત્નત્રયની આરા ધના કરવાના અવસર મળે છે, અન્યત્ર નહિ, માટે શબ્દાદિક વિષયાના જે પરિ ત્યાગ કરે છે, એવા તે પૂર્વોક્ત આયતચક્ષુસ પન્ન, લોકવિશ્વ અને સંધિપરિજ્ઞાતા, વીર – કર્મના વિનાશ કરવામાં શક્તિશાળી થાય છે. અને એવા જ વીર પુરૂષની તીર્થંકરાતિ મહાપુરૂષોએ પ્રશંસા કરેલ છે. એવા મનુષ્ય જ વ્ય અને ભાવ ધનથી રહિત થઈને અન્ય-ખીજા કરૂપી પાશથી જકડાએલાં સંસારી જીવાને પણ સંસારની અસારતા પ્રદશિત કરવાવાળા પોતાના ઉપદેશથી પ્રતિષ્ઠોધિત કરી આ સંસારરૂપી કારાગારના બંધનથી રહિત કરી દે છે. વાત પણ ઠીક છે, જે સ્વય' મુક્ત મને છે તે જ બીજાને મુકત કરવાવાળા બને છે. * જ્ઞાની પોતાને તથા ખીજાને આ સંસારરૂપી કારાગારના બંધનથી કેવીરીતે છોડાવે છે? તે પ્રકારની જીજ્ઞાસાનુ સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે કેચથાન્તસ્તથા વાઘ ’-મિતિ । સંસારમાં સમસ્ત અજ્ઞાની જીવાને જેટલા મોહ પેાતાના શરીર ઉપર હાય છે એટલેા બીજા ઉપર હાતા નથી. પેાતાના શરીરની સંભાળ માટે પ્રત્યેક પ્રાણી પેાતાની પ્રિયમાં પ્રિય વસ્તુની પણ ઉપેક્ષા કરી દે છે. માટે જે શરીર ઉપર અજ્ઞાનીના આટલે અધિક માહ હાય છે, જ્ઞાની જીવ તેનીજ અસારતા પ્રગટ કરી તેનાથી મેાહી જીવાનો અનુરાગ ઘટાડવા માટે કહે છે કે-જે પ્રકારે આ શરીર ભીતરથી શુક્ર, લેાહી, મેદ, મજ્જા, વસા અને અસ્થિ આદિ અશુચિ પદાર્થોથી યુક્ત છે, અર્થાત્ આ શરીરની ભીતર એ અપવિત્ર વસ્તુઆના જમાવ છે તે પ્રકારે બહાર પણ આ શરીર શ્લેષ્મ-કર્, સૂત્ર, પુરીષાદિથી સદા દૃણિત અન્ય રહે છે. આ અપવિત્ર પદાર્થોને બહાર નિકળવા જેમ તેનાં નવ દ્વાર છે તે પ્રકારે ભીતરમાં પણ છે. એ અતિશ્રુગુપ્સિત–ધૃણિત શુષ્ક અને લેાહીના સંચાગથી ઉત્પન્ન થવાથી તથા અતિમલિન મૂત્ર, પુરીષ આદિને વહાવવાવાળા હેાવાથી ભીતર અને બહાર સદા અત્યંત અપવિત્ર જ છે. જેમ કોઇ ડૉકટર અનાથ મડદાને ઘાસથી લપેટી સાત દિવસ સુધી જળમાં તેને રાખે છે અને જ્યારે તેનું ચામડું ધીરે ધીરે સડી સડી ગળી જાય છે ત્યારે તે ચામડીને તેના ઉપરથી કાઢીને તેના અસ્થિપિંજરને દેખાડી કહે છે કે-દેખા, આ શરીર જેવી રીતે ભીતર છે તેવી રીતે બહાર છે, જે પ્રકારે બહાર છે તે પ્રકારે ભીતર છે. આ સમસ્ત શરીર-ચામડી, માંસ, શોણિત, પેટસંબંધી આંતરડા, મૂત્ર અને પુરીષાદ્રિ અશુચિ પદાર્થોના પિંડરૂપ જ છે, માટે આ શરીરમાં શુચિતાની માન્યતા કયાં સુધી શોભાસ્પદ માની લેવામાં આવે ? અશુચિ શરીરમાં વ્યર્થ જ અજ્ઞાનીજન મેાહ કરે છે. kr તથા—દુષ્ટાદ્રિકથી જે વખતે આ શરીરની દુર્દશા થાય છે તે સમયની પરિ સ્થિતિનું ધ્યાન આપીને પણ એ કહેવામાં આવે છે કે यथान्तस्तथा बाह्य" - मिति. એક એવા પણ કાઢ થાય છે કે જેનાથી શરીરના પ્રત્યેક અંગ ઉપાંગ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬ ૦
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy