SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુઓને જ્યારે પિતાના શરીર ઉપર જ મોહ અને મમત્વ નથી થતે તે પછી શરીરથી સર્વથા ભિન્ન ઉપકરણદિકોમાં મમત્વભાવ કેવી રીતે હોઈ શકે. મુનિ અવસ્થામાં માત્રાનુસાર ગ્રહણ કરેલા વસ્ત્રપાત્રાદિક સંયમના ઉપકારક હોવાથી કર્મોની નિજેરાના જ સાધક બને છે, માટે તે સંયમ અવસ્થામાં સ્વીકાર કરવામાં આવે છે. પરિગ્રહ તે જગ્યા ઉપર છે કે જ્યાં મૂછ ભાવથી લેવામાં આવે છે. આ પાત્રાદિકોનું ગ્રહણ મૂછભાવથી કરવામાં આવતું નથી, માટે તે પરિગ્રહરૂપ નથી પ્રત્યુત તેના અભાવમાં સંયમયાત્રાને યથાવત નિર્વાહ થઈ શકતો નથી, માટે તેનું ગ્રહણ કરવું આવશ્યક બતાવ્યું છે. આ વાતની પુષ્ટિ સૂત્રકારે “અન્યથાનપરા રત્ ” આ વાક્યથી કરેલ છે. વસ્ત્રપત્રાદિક ધર્મોપકરણ છે, તે વિના સંયમને યથાવત્ નિર્વાહ થઈ શકતે નથી, માટે તેનું રાખવું આવશ્યક છે. એ પ્રકારે તેને પરિગ્રહરૂપ નહિ દેખતા અણગાર તેનાથી અતિરિક્ત ધનધાન્યાદિને પરિગ્રહ સમજીને છોડી દે છે. ગૃહસ્થ જેવી રીતે વસ્ત્રાદિકોને શારીરિક સુખાદિકનું કારણ માનીને તેને ગ્રહણ કરે છે તે પ્રકારની ભાવનાથી મુનિ નહિ. ધર્મોપકરણથી ધર્મનું જ સાધન થાય છે અન્ય શરીરસુખાદિકનું નહિ. એવું માનીને જ મુનિ તેને ગ્રહણ કરે છે, અને તેમાં મમત્વભાવથી રહિત થાય છે. તાત્પર્ય એ છે કે-અણગારે સમુચિત માત્રામાં આહારદિક ગ્રહણ કરવાવાળા, લાભ અને અલાભમાં સમભાવી, પરિગ્રહથી વિરત, અને રત્નત્રયની આરાધનામાં નિમગ્ન થવું જોઈએ. એ સૂત્ર ૬ છે સપ્તમ સૂત્રકા અવતરણ ઔર સસમ સૂત્રો આ માર્ગનો પ્રદર્શક કોણ છે, આ વાતને બતાવતાં સૂત્રકાર કહે છે— પણ મને” ઈત્યાદિ. શ્રુતચારિત્ર રૂપ ઇસ માર્ગો આર્યોને પ્રવેદિત કિયા હૈ. ઇસ માર્ગ પર સ્થિત હો કર જિસ પ્રકાર કર્મ સે ઉપલિસ ન હો વૈસા કરના ચાહિયે. આ પૂર્વોક્ત ગ્રુતચારિત્રરૂપ માર્ગ તીર્થકર ગણધરાદિક આર્ય પુરૂષેએ બાર શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫૪
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy