SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા આ સૂત્રને સારાંશ એ છે કે “જે મનુષ્ય પોતાના ઉત્કર્ષને પ્રાપ્ત કરી જાત્યાદિમાવેશમાં આવીને બીજા પ્રતિ “તું આંધળે છે” ઈત્યાદિ કઠેર ભાષાને પ્રયોગ કરે છે, મનથી પણ તેનું અપ્રિય કરવાનો વિચાર કરે છે તે બીજા જન્મમાં સ્વયં જ નીચ શેત્રાદિક અથવા અન્યત્વાદિક ફળને ભક્તા બને છે, માટે એવો વિચાર કરી આત્માથી જન કેઈ વખત પણ મન વચન અને કાયાથી કેઈનું પણ અપ્રિય-અનિષ્ટ નહિ કરે. એ સૂત્ર ૨ . ઉચ્ચકુલાભિમાની મનુષ્ય પ્રણિયોં કા અહિત કરકે જન્માન્તર મેં કોઈ અધતા આદિ ફલ પાકર સકલજનનિશ્વિત હોતા હુઆ, ઔર કોઈ ખેતઘર-ધનધાન્ય સ્ત્રી આદિ પરિગ્રહમેં આસક્ત હો તપ આદિકી નિન્દા કરતા | હુઆ વિપરીત બુદ્ધિવાલા હો જાતા હૈ . ઉંચ કુળમાં જન્મ લેવાના ગર્વથી સંયમી મુનિ અધમ કુળમાં ઉત્પન્ન થઈને દીન અબ્ધત્વાદિક ફળને જોક્તા બની કર્તવ્ય અને અકર્તવ્યના ભાનથી વિકલ થઈને તેમજ કર્મના ફળને નહિ જાણીને તે જ ઉંચ ગોત્રાદિકમાં વિપર્યાસવિપરીત ભાવને પ્રાપ્ત કરે છે. તેનું વર્ણન કરે છે “ યુના” ઈત્યાદિ. સૂત્રકારે આ સૂત્રના પહેલાં આ વાત સારી રીતે ખુલાસો કરીને પ્રગટ કરી છે. કે “જે સંયમી મુનિ ઉંચ ગોત્રમાં જન્મ લેવાના અભિમાનથી ઉન્મત્ત બની બીજાઓને તિરસ્કાર કરે છે અથવા મનથી પણ તેનું અહિત કરવા વિચારે છે તે આ કર્મના કટુક ફળને જન્માન્તરમાં અગર આ ભવમાં ભક્તા બને છે. આ વાતને ફરીથી દઢ કરવાના અભિપ્રાયથી સૂત્રકાર કહે છે કે-તે સંયમી મુનિ જે ઉંચ કુળમાં ઉત્પન્ન થયેલ છે, અને પિતાના અહંકારજન્ય અત્યાદિક ફળ વિશેષને જોક્તા થયેલ છે, તથા “જે અબ્ધત્વાદિક ફળ મને મળ્યું છે તે મારા જ દ્વારા ઉપાજિત કર્મનું કટુક ફળ છે” એ બધથી જે અનભિજ્ઞ છે, તથા જે હતોપહત બનેલ છે, અર્થાત્ અલ્પત્વાદિક અને નાના રોગોથી જેનું શરીર ક્ષત શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦૮
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy