SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ દ્રવ્યેન્દ્રિયનું નિરૂપણ સૂ. ૨૦ અર્થાત્ ઇન્દ્રિયથી જન્મતાં નથી. આ આશંકાનું સમાધાન આ છે કે એવો કોઈ નિયમનથી કે બધા ઉપગ નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયથી જ ઉત્પન્ન થાય પરંતુ એક મતિજ્ઞાનને ઉપયોગ થાય છે. તે ઉપયાગ–પ્રાણિઘાત રૂપ વ્યાપાર વિશેષ છે. પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫માં ઈન્દ્રિયપદના બીજા ઉદ્દેશ્યમાં કહ્યું છે – પ્રશ્ન–ભગવાન ! ઇન્દ્રિયલબ્ધિ કેટલા પ્રકારની છે ? ઉત્તર ગૌતમ ! પાંચ પ્રકારની ઈન્દ્રિયલબ્ધિ કહી છે, જેમ કે- સ્પર્શનેન્દ્રિયલબ્ધિ, જીન્દ્રિયલબ્ધિ ધ્રાણેન્દ્રિયલબ્ધિ, ચક્ષુરિન્દ્રિયલબ્ધિ, એન્દ્રિયલબ્ધિ. પ્રશ્ન–ભગવાન ! ઇન્દ્રિયઉપગદ્વારના કેટલા પ્રકાર છે? ઉત્તર ગતમ! પાંચ પ્રકારના છે—ન્દ્રિય-ઉપયોગદ્ધા-સ્પર્શનેન્દ્રિય-ઉપયોગદ્ધાના 'दुविहं दविदियं निवत्ति उवगरण च' । દ્રવ્યેન્દ્રિય બે પ્રકારની છે-નિવૃત્તિ અને ઉપકરણ | ૨૦ || તત્વાર્થદીપિકા–ભાવેન્દ્રિયના બે ભેદ કહેવાઈગયા હવે દ્રવ્યેન્દ્રિયની પ્રરૂપણું કરવા માટે કહે છે-દ્રવ્યન્દ્રિયના બે ભેદ છે-નિવૃત્તિ અને ઉપકરણ વિભિન્ન ઇન્દ્રિયના જુદા જુદા આકારનું ઉત્પન્ન થવું નિવૃત્તિરૂપ ઈન્દ્રિયને નિવૃત્તિ-ઇન્દ્રિય કહે છે. નિવૃત્તિ બે પ્રકારની હોય છે – આત્યંતર અને બાહ્ય. ધનરૂપ વ્યવહારઆંગળના અસંખ્યાતમાં ભાગ પરિમિત, આંખ વગેરે ઇન્દ્રિયના આકારમાં સ્થિત શુદ્ધ જીવપ્રદેશની આત્યંતરવૃત્તિથી યુકત આત્યંતર નિવૃત્તિ ઈન્દ્રિય કહેવાય છે. તે આત્મપ્રદેશમાં જેઓ ઈન્દ્રિય કહેવાય છે નામકર્મના ઉદયથી ઉત્પન્ન અવસ્થા વિશેષરૂપ નિયત આકારવાળા પુદ્ગલેનો સમૂહ બાહ્યનિવૃત્તિ છે. આશય એ છે કે શ્રેત્ર વગેરે ઇન્દ્રિયન-આકારમાં પુદ્ગલની જે રચના છે તે બાહ્યનિવૃત્તિ કહેવાય છે. આ રચના નામકર્મના ઉદયથી થાય છે. જે ઉપકાર કરે છે તેને ઉપકરણ કહે છે. અભિપ્રાય એવો છે કે નિવૃત્તિ ઈન્દ્રિયને ઉપકાર કરનારને ઉપકરણેન્દ્રિય કહે છે. ઉપકરણના પણ બે ભેદ છે-આત્યંતર અને બાહ્ય. આંખને કાળે તથા ઘોળ જે ડોળે છે તેઆત્યંતર ઉપકરણ છે અને ભ્રમર તથા પાંપણ વગેરે બાહ્ય ઉપકરણ છે. એવી રીતે આ બન્ને નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયે પૌગલિક છે અને પૂર્વોક્ત ભાવ ઈન્દ્રિયની સહાયક હોય છે. એમને દ્રવ્યેન્દ્રિય કહેવાનું કારણ એ છે કે આત્મપરિણામ રૂપ ઉપગ ભાવેન્દ્રિયને મદદ કરવામાં સમર્થ છે તેમજ દ્રવ્ય છે. મૂળગુણ નિર્વના નિવૃત્તિને નિવૃત્તિ-દ્રવ્યેન્દ્રિય કહે છે. તે અંગે પાંગનામકર્મ દ્વારા ઉત્પન્ન થાય છે, ઉપગ રૂ૫ ભાવેન્દ્રિયનું છિદ્ર છે. કર્મવિશેષ દ્વારા સંસ્કૃત શરીરને પ્રદેશ રૂપ છે તથા નિર્માણનામકર્મ તથા અંગોપાંગકર્મની નિમિત્ત હોય છે. બંને પ્રકારની ઉપકરણેન્દ્રિય શ્રેન્દ્રિય વગેરે નામની નિવૃત્તિદ્રવ્યેન્દ્રિયની અનુપઘાત તથા અનુગ્રહ દ્વારા ઉપકારક હોય છે. અર્થાત્ ઉપકરણેન્દ્રિય, નિવૃત્તિ-ઇન્દ્રિયને ઉપઘાત ન થઈ જાય તેમજ અનુગ્રહ થાય, એ રૂપે સહાયક હોય છે. તે ૨૦ || તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં ભાવેન્દ્રિયના બે ભેદ કહેવાઈ ગયા હવે દ્રન્દ્રિયના ભેદની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-દ્રવ્યેન્દ્રિય બે પ્રકારની છે-નિવૃત્તિ અને ઉપકરણ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy