SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ३१ શ્રુત-ભકિત (પૂર્વ આચાર્ય શ્રી ઘાસીલાલજી મ॰ સાની આજ્ઞા અનુસાર લખનાર ) ૬. સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ આજે લગભગ ૨૦ વર્ષોંથી શ્રદ્ધેય પરમપૂજ્ય. જ્ઞાનદિવાકર ૫,૦ મુનિશ્રી ઘાસીલાલજી મ૦ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર, અનુપમ ન્યાય ચુક્ત, પૂર્વાપર અવિરોધસ્વરૂપ કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના દ્યોતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે, તેઓશ્રી પ્રાચીન, પૌદૈત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પંડિત છે, અને જિનવાણીના પ્રકાશ સંસ્કૃત, ગુજરાતી અને હિંદીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ, સાથે પ્રકાશમાં લાવે છે. ભ॰ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી, પરંતુ તેમની વાણી રૂપે અક્ષરદેહ ગણધર મહારાજોએ શ્રુતપરપરાએ સાચવી રાખ્યા શ્રુતપર પરાથી સચવાતું જ્ઞાન જ્યારે વિસ્તૃત થવાના સમય ઉપસ્થિત થવા લાગ્યું ત્યારે શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે વલ્ભીપુર-વળામાં તે આગમાને પુસ્તક રૂપે આરૂઢ કર્યો. આજે આ સિદ્ધાંતા આપણી પાસે છે. તે અમાગધી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણની ધર્મભાષા છે. તેને આપણા શ્રમણા અને શ્રમણીઓ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાઓ મુખપાઠ કરે છે, પરન્તુ તેના અર્થ અને ભાવ ઘણા થાડાએ સમજે છે, જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધર્મસૂત્રો છે. એ આપણી આખા છે. તેના અભ્યાસ કરવા એ આપણી સૌની–જૈન માત્રની ફરજ છે. તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણા સદ્ભાગ્યે જ્ઞાનદિવાકર શ્રી ઘાસીલાલ મહારાજે સત્ સંકલ્પ કર્યાં છે અને તે લિખિત સૂત્રોને પ્રગટાવી શાસ્ત્રાદ્ધાર સમિતિદ્વારા જ્ઞાન પરખ વહેતી કરી છે. આવા અનુપમ કાર્યોમાં સકળ જૈનોના સહકાર અવશ્ય હાવા ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ના કરવા ઘટે, ભ॰ મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રુતની આરાધનાથી જીવાના અજ્ઞાનના નાશ થાય છે, અને તેઓ સંસારના કલેશાથી નિવૃત્તિ મેળવે છે, અને સંસાર કલેશેાથી નિવૃત્તિ અને અજ્ઞાનના નાશ થતાં માક્ષના ફળની પ્રાપ્તિ થાય છે. આવા જ્ઞાનકાર્યમાં મૂર્તિ પૂજક જૈનો, દિગ ંબરા અને અન્ય ધર્મિઓ હજારો અને લાખા રૂપીયા ખર્ચે છે. હિંદુ ધમ માં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડો નહિ પણ હજારા ટીકા ગ્રંથા દુનિયાની લગભગ સર્વ ભાષાઓમાં પ્રગટ થયા છે, ઇસાઈ ધર્મના પ્રચારકો તેમના પવિત્ર ધર્મગ્રન્થ બાઈબલના પ્રચારાર્થે તેનુ જગતની સવ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy