SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બા. બ્ર. શ્રી વિનોદમુનિનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આ પરમ વૈરાગી અને દયાના કુંજ જેવા આ પુરુષને જન્મ વિક્રમ સંવત ૧૯૯રમાં પિટ સુદાન (આફ્રિકા)માં કે જ્યાં વિરાણી કુટુંબને વ્યાપાર અજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયો હતે. શ્રી વિનોદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વિરાણુ અને મહાભાગ્યવાન માતુશ્રીનું નામ બેન મણીબેન વિરાણી. બન્નેનું અસલ વતન રાજકેટ (સૌરાષ્ટ્ર) છે. બેન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનંદકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દામી અને પ્રિયધમી બન્યા હતા. પૂર્વ ભવના સંસ્કારથી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગભાવ તરફ વધારે હોવા છતાં તેઓશ્રીએ નમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી. તેઓશ્રીએ યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, બેટજીયમ, હેલેન્ડ, જર્મની સ્વીઝર્લેન્ડ, તેમજ ઈટાલી, ઈજીપ્ત વગેરે દેશમાં પ્રવાસ કરેલસં. ૨૦૦ત્ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લંડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરને પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કઈ વખતે પણ કંદમૂળનો આહાર વાપરેલ નહીં. ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનીયાના ક્ષણિક કહેવાતા રમણીય સ્થળે જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળની મુલાકાત લીધી હોવા છતાંએ તેઓને રમણીય સ્થળે કે રમણીય યુવતીઓનું આકર્ષણ થયું નહીં. એ એના પૂર્વભવના ધાર્મિક સંસ્કારને જ રંગ હતું અને એ રંગ જ તેમને વધુને વધું ગમતે તેઓ મુસાફરીથી વતન તરફ પાછા ફર્યા પછી સાધુ-સાધ્વીજીનાં દર્શન કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધે જેથી તેઓને વૈરાગ્યમાં જ વધારે આકર્ષણ લાગ્યું. હુંડા કાલા અવસર્પિણીના આ દુષમ નામના પાંચમાં આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કંઇક #ભ થતું કે તુરત તેને ખુલાસો મેળવી લેતા અને ત્યાગભાવમાં સ્થિર રહેતા. દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચેવિહાર આદિ પચ્ચક્ખાણ તેઓ ચૂક્યા નહીં. એક ઉચ્ચ કેટીના કોટ્યાધિપતીના નબીરા હેવા છતાં તેઓએ કાચી કોટિની શૈયાને ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતરંજી, એક એસી અને ઓઢવા માટે એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જ શયન કરતા અને પહેરવા માટે એક ખાદીને લેશે અને ઝભ્ભો વાપરતા, કોઈ વખતે કબજે પહેરતા બહુ ઠંડી હોય તે વખતે સાદે ગરમ કોટ પહેરી લેતા અને મુહ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy