SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તેની સાથે સંગ કરાવે છે. રાગ રાગણીઓના રસીઆના કાન, રૂપના વિલાસીનું નાક અને રસના લાલચુની જીભ, છેદી ભેદી નાંખે છે. ધગધગતા ખારા પાણીથી ભરેલી વૈતરણ નદીમાં નવરાવે છે, તરવારની ધારથી પણ અતિ તીક્ષ્ણ પાંદડાવાળા શામલી વૃક્ષ નીચે બેસાડી હવા ખવરાવે છે, કુંભીપાકમાં રાંધે છે, કસાઈઓની પકે શરીરના તલ તલ જેવડા કડકા કરે છે, કર્મ જ્યારે ઉદય આવે છે ત્યારે આ પ્રમાણે સાગરોપમ જેટલા વખત સુધી રે રેઈને દુઃખ ભેગવવાં પડે છે અને કઈ રીતે છૂટાતું નથી. એવા રીતે રૌદ્ર ધ્યાન બંને ભવમાં ભયંકર દુખે દેનારૂં જાણવું. રૌદ્ર ધ્યાનને ઘણે ભાગે કૃષ્ણ વેશ્યાની વાસના હેય છે. એ કૃષ્ણ લેશ્યાના પરિણામ (ધ્યાન) વાળે જીવ, હિંસા, જુઠ, મૈથુન, પરિગ્રહ એ પાંચ અવત; મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ જોગ એ પાંચ આસવ એમ દશ પાપ કર્મને સેવે છે અને જુનાં કર્મોનું ફળ ભેગવવા ટાણે વિચારે ખરાબ રહેવાથી ફરી તેવાં ને તેવાં કમને બંધ પાડે છે. એ પ્રમાણે ભવાંતરની (નવા ભવેની) શ્રેણીમાં પરિભ્રમણ કર્યા કરે છે. વૈદ્ર ધ્યાનને આ સંસારમાંથી છૂટકે થે બહુ જ મુશ્કેલ છે. રદ્ર ધ્યાનવાળે જીવ અનંત સંસાર ભટકે છે માટે એ શૈદ્ર દયાન હેય એટલે ત્યાગ જોગ છે. ચાર ગાઉ ઉંડે, ચાર ગાઉ લાંબો, ચાર ગાઉ પહોળો એવો એક કુવો ધાર, તેમાં દેવકુર નામે જુગળીઆના પ્રદેશમાં રહેતાં જુગળીઆના વાળના, આંખમાં નાંખતાં જરાપણ ખટકે નહિ એવા બારીક કટકા કાતરીને ઠાંસી ઠાંસીને ભરવા. પછી સે વર્ષે એકેક કડક (વાળની ૨જ ) કાઢતાં તે કુવો તદન ખાલી થાય ત્યારે એક પલ્ય જેટલાં વર્ષ સમજવાં. એવા ૧૦ ક્રોડક્રોડ (દશ ક્રેડક્રોડ) કુવા ખાલી થાય ત્યારે એક સાગર જેટલાં વર્ષ સમજવાં.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy