SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પત્ર–“ઉષણ દેશમાં ( ૧ હિંસા, જૂઠ, ચોરી અને વિષય સંરક્ષણ એ ચારના પિષણ અને વૃદ્ધિને માટે જેજે કામ થાય છે તેને ઉષણદોષ કહે છે. હિંસાનું પોષણ કરવાને અનેક પાવડા, કેદાળી, ખરપીઆ (દાતરડાં) વગેરે પૃથ્વીને દવા તેડવા સારૂ હથિયારને સંજોગ મેળવે, અધુરાં હથિયાર હેય તે હાથા વગેરે કરે, ધાર કઢાવી સુધારી તૈયાર કરે, અને પૃથ્વીનું છેદન ભેદન કરવાના આરંભમાં તેને ઉપયોગ કરે, પાણીના આરંભની વૃદ્ધિને માટે કેસ, રેંટ, મસક, ઘડા, કળશીઆ વગેરે વાસણને સંજોગ મેળવે, કૂવા, વાવ, તળાવ, નળ, ફુઆરી, હેજ વગેરે બનાવીને પાણીને આરંભ કરે અને કરાવે, અગ્નિને માટે ચૂલા, ભઠ્ઠી, દીવે, ચલમ, આતશબાજી વગેરે કરાવે અને અગ્નિના આરંભના કામમાં વાપરે, હવાના આરંભને માટે નાના પંખા, મેટા પંખા, વાજા, વગેરે કરાવે; વનસ્પતિ લીલેત્રીના આરંભને માટે બાગ બગીચા, વાડી વગેરે બનાવી વાપરે અથવા પત્ર, ફૂલ, ફળ, ઘાસ વગેરેનું છેદન ભેદન, પાચન પાચન તથા ભક્ષણ કરે કરાવે, ત્રસજીવના આરંભને માટે ધુમાડો છંટકાવ વગેરે પ્રયોગ કરી મચ્છર, ડાંસ, માંકડ વગેરેને મારે, જાળ, કેસે વગેરે સાધનથી જળચર, ભૂચર, ખેચર વગેરે પ્રાણીએને પકડે તરવાર, ભાલા વગેરે હથિયારથી પ્રાણીઓનું છેદન ભેદન તાડન તર્જન કરે, મનુષ્ય અને પશુને સખત બંધનથી બાંધે, ત્રાસદાયક પ્રહાર કરે, આહાર અને પાણીની અંતરાઇ (વિજેગ) પાડે, અંગે પાંગ છેદન ભેદન કરે, ગજા ઉપરાંત કામ યા મહેનત કરાવે, એ પ્રમાણે સદા નિર્દય બની અજતનાથી એકાંત સ્વાર્થ સાધવાને અગર વિના કારણે બીજાને દુઃખ ઉપજાવવાને જેજે કામ કરે, તેને રૌદ્રધ્યાનીનાં કામો સમજવાં. જાઠ–અસત્યનું પિષણ વૃદ્ધિ કરવાને અનેક પાપકારી શાસ,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy