SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ આનંદ માને, દાણચોરી કરી ખુશી થાય, જે વસ્તુ વેચવાની પિતાના રાજમાં. રાજાએ મના કરેલ હોય તેને છાની રીતે મંગાવી વેચે અને ખુશી થાય, એ પ્રમાણે તસ્કરાનુબંધી રૌદ્રધ્યાનના અનેક ભેદ છે. બધાની મતલબ એ છે કે ધણની રજા વિના અથવા તેની મરજી વિના જબરદસ્તી કરી જે વસ્તુ પિતાની માલીકીની કરી આનંદ માનવામાં આવે તે તસ્કરાનુબંધી રદ્રધ્યાન ગણાય છે. ચતુર્થ પત્ર–સંરક્ષણ बहारंभपरिग्रहेषु नियतं रक्षार्थमभ्युद्यते । यत्संकल्प परम्परा वितनुते प्राणीह रौद्राशयः ॥' यच्चालम्ब्य महत्वमुन्नतमना राजेत्यहं मन्यते । तत्तुर्य प्रवदन्ति निर्मलधियो रौद्रं भवाशंसिनाम् ॥१॥ જ્ઞાનાર્ણવ ૨૬-૨૯. અર્થ—જે પ્રાણુ વૈદ્ર (કુર) ચિત્ત વાળો બની, ઘણે આરંભ પરિગ્રહ રાખી તેનું રક્ષણ કરવાની શેઠવણમાંજ મંડળે રહે, તેમાંજ પિતાની મેટાઈ ગણ ફૂલાઈ જઈ એમ માને કે, આ બધા ધણ છું વગેરે વિચારની પ્રવૃત્તિને તત્ત્વજ્ઞ મહાપુરૂષ, વિષય સંરક્ષણ નામનું રદ્રધ્યાન કહે છે. આવું ધ્યાન સંસારની વાસના રાખનાર ને હોય છે. આ દુનીઆમાં બધા જ નરદમ પાપીજ છે, એમ પણ ન જાણવું તેમજ નરદમ પુણ્યાત્મા છે, એમ પણ ન સમજવું. બધા સંસારી જીને પુણ્ય અને પાપ અનાદિથી વળગેલ છે. પાપને વધારે થવાથી દુઃખને વધારે અને પુણ્યને વધારે થતાં સુખને વધારે થાય છે. પાપ પુણ્યમાંથી જેને વધારે થાય તેનાં ફળ નજર આગળ તરે છે, છતાં તેને પ્રતિપક્ષી ગુપ્તપણે હેય છેજ,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy