SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ ણ કે અવિનાશીને અનંત છે. આવી સ્થિતિને લીધે કહેલ છે કે સાતમોગMT' એટલે આત્મા શાશ્વત છે, જે ઉપજે છે તેને નાશ પણ થાય છે, પણ આત્મા તે ઉત્પન્ન થયેલજ નથી, તેથી તેને નાશ પણ નથી. આત્મા શાશ્વત છે, આત્મા અસંગ છે, અલંગ છે, અરંગ છે, પરસંગની તેને જરા પણ જરૂર છેજ નહિ. આત્માને નિજ ગુણ જ્ઞાન અને દર્શન છે. આત્મા અનાદિ અનંત છે. જ્ઞાન અને દર્શન કહેવામાં બે પણ સંગત્વમાં તે એકતારૂપજ છે, એકલું જ્ઞાન કેઈ સ્થાને વિશેષ કાળ સ્થિર રહી શકતું નથી. જ્ઞાનની સાથે જ દર્શન ઉત્પન્ન થાય છે. જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે શ્રદ્ધા, એ બે જીવનાં લક્ષણ છે. એના વિના બીજું જે કંઈ છે, (તે + સૂક્ષ્મ એટલે અદ્રશ્ય પદાર્થ છે કે બાદર એટલે દ્રશ્ય પદાર્થ છે) તે તમામ પદાર્થો આત્માના સચેતન દ્રવ્યથી સ્વભાવમાં તથા ગુણમાં ભિન્ન ભિન્ન છે. કારણ કે “સત્ર સંનો કરવ” એટલે પુગળમાં સંગિક, વિજેગિક, સવભાવ હેજે હય, એ અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં મળી જાય. છે અને વિખરી પણ જાય છે. એને ભરેસે શું? એવું જાણું શુકલધ્યાની સ્વભાવિક રીતે નિવૃત્તિભાવને મેળવે છે. બીજી કઈ પણ પ્રવૃત્તિને તેના આત્મસ્વભાવમાં પ્રવેશ કરવાને અવકાશજ આવતું નથી કારણ કે તે પુદ્ગનિક સ્વભાવથી સ્વભાવિક રીતે અલગજ છે. - - - - - - - - - - - - - - - - - - + પુગળ છ પ્રકારનાં થાય છે. (૧) બાદર બાદર–જે પુદ્દગળના કટકા થયા પછી એક બીજા સાથે પાછી મળે નહિ તેવાં. જેમકે-કાષ્ટ વગેરે. (૨) બાદર–કટકો જુદો પડયા પછી મળી જાય, જેમકે-ઘી, તેલ, દૂધ, વગેરે. (૩) બાદરસૂક્ષ્મ–દેખાય પણ ગ્રહણ કરી શકાય નહિ, જેમકે–ધૂપ, છાયા, ચાંદની વગેરે. (૪) સૂક્ષ્મબાદર–શરીરને લાગે પણ દેખાય નહિ, જેમકે–હવા, સુગંધ વગેરે. (૫) સૂક્ષ્મ પરમાણુ–એકના બે ન થાય. () સૂક્ષ્મ સમેતે કર્મ વગણાના પુદગળ. (ગોમટ સાર) .
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy