SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ એક પ્રદેશને પણ વ્યંજન, અર્થ, અને વેગથી ભિન્ન ભિન્ન દ્રવ્ય ગુણ પર્યાય વિચારે. એમ વિવિધરૂપથી એકેક વસ્તુનો વિચાર કરતાં તેમાં પ્રવેશ કરી અનેક પ્રકારના તર્ક વિતર્ક ઉપજાવે અને તે તમામનું પિતાનાજ મનથી સમાધાન કરતે જાય. એ વિચારમાં તલ્લીન બની ગયા પછી પિતાના આત્મા તરફ લક્ષ પહોંચાડી ખ્યાલ કરે કે આ પ્રત્યક્ષ દેખાય છે તે જડ પુગળને પિંડ અને તેમાં રહેલે સચેતન આત્મા એ બંને ભિન્ન ભિન્ન છે. જેમ દૂધ અને પાણી ભેગાં મળે છે તે પણ દૂધ તે દૂધના સ્વભાવમાં છે અને પાણી તે પાણીના સ્વભાવમાં છે, એકત્ર નથી જ. એકત્ર હોય તે હંસની ચાંચના પુદુગળ પ્રભાવથી તે અલગ અલગ શામાટે થાય છે. એવી રીતે દેહ અને જીવ, કર્મ અને જીવ એ બંને એક જેવા લાગે છે છતાં ચેતન્યને ચેતન ગુણ અને જડને જડ ગુણ પિતા પોતાની સત્તામાં અલગ અલગ છેજએવું નિશ્ચય પૂર્વક જાણી બંનેની પ્રથતાને ત્યાગ કરી, પિતાના ચૈતન્ય સ્વભાવમાં સ્થિર થાય અને સૂત્રના બાર અંગની વાણી રૂપી પાણીવાળા મહાસાગરમાં ડૂબકીઓ ખાય. આવું ધ્યાન ચિદ પૂર્વના ભણનારને થાય છે. આ ધ્યાન મન વચન કાયાના પેગોની દ્રઢતા રાખવાથી રહ્યાં કરે છે. આ ધ્યાને ધ્યાતી વખતે એક એગથી બીજામાં અને બીજા માંથી ત્રીજા યુગમાં પ્રવેશ થયાં કરે છે અને એમ વિચાર પલટયાં કરે તેથી આ પાયાનું નામ પૃથક વિતર્ક ધ્યાન કહેવાયું છે. ૮૯-૧૦-૧૧ એ ગુણ સ્થાનકવાળા મુનિરાજને આ ધ્યાન હોય છે. આ ધ્યાનથી ચિત્ત શાંત, આત્મા અત્યંતર દ્રષ્ટિવાળ, ઈનિદ્રા નિર્વિકાર, અને મેહને ક્ષય તથા ઉપશમ થાય છે. દ્વિતીય પત્ર–“એકત્વ વિતક* (૨). એકત્ર વિતર્ક –આને વિચાર પહેલા પાયાથી ઉલટો છે. પહેલા પાયામાં પ્રથક પ્રથમૂ તર્ક વિતર્ક હોય છે અને આમાં
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy