SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ રાહક અર્થ સિદ્ધ ભગવાનના સ્વરૂપ અને ગુણનું વર્ણન કરવાને કોઈપણ વાણી સમર્થ નથી. “સન્ન કરી નિયતા” એટલે કઈ પણ શબ્દથી તેનું વ્યાખ્યાન થઈ શકતું નથી, એ સ્વરૂપ સદા અવક્તવ્ય છે. એ સ્વરૂપને માટે કલ્પના કે વિચાર શક્તિ પણ પહોંચી શકતી નથી. મોટા મોટા બ્રહ્મવેત્તા, સદ્ગુરૂ બૃહસ્પતિ, અને સર્વ શાસ્ત્રના પારગામી મહાત્માઓની વૃદ્ધિ પણ હજી સુધી તે સ્થળે પહોંચી શકી નથી તે બીજા સાધારણ જીવનું તે ગજું છે? જેઓ વિશેષ જ્ઞાની છે તેઓ તે સ્વરૂપનું જાણપણું કરી શકે છે પણ વાણીથી તે એટલુંજ કહી શકે છે કે ત્યાં રહેલે જીવ કેવળ શુદ્ધ સ્વરૂપે છે, કર્મરૂપી કલંકથી તેમજ સર્વ સંગથી રહિત છે, તત્ સત્ ચિત્ આનંદરૂપ આત્મા પિતાના પ્રદેશથી વિરાજે છે, અને સંપૂર્ણ જ્ઞાનમય છે. વળી તે સિદ્ધને જીવ કે છે તે સૂત્ર ન્યાયે કહે છે – સૂઝઢી, ન હ, જ વદે, ન તરે, ન વસે, ण परिमंडले, ण किण्हे, ण णीले, ण लोहिए, ण हालिहे, ण सुकिल्ले, ण सुरहिगंधे, ण दुरहिगंधे, ण तित्ते, ण कडुए, ण कसाते, ण अंबिले, ण महुरे, ण कक्खडे, ण मउए, ण गरुए, જાડી થતી નથી એ રીતે અનંત સિદ્ધ ભગવંત હાલ મોક્ષમાં બીરાજે છે અને બીજા અનંત હજી થશે છતાં તેમાં ત મળી જાય છે પણ બિલકુલ જગા રહેતી નથી. એક દિવાનો પ્રકાશ જેટલી જગામાં ફેલાય છે તેટલી તે પ્રકારની અવગાહના છે તે પ્રમાણે સિદ્ધ ભગવાનના શુદ્ધ નિર્મળ અને અક આત્મ પ્રદેશની અવગાહના સમજવી. (ક) સિદ્ધ ભગવાન સંસારી છદ્મસ્થ જીવોની અપેક્ષાથી અરૂપી છે એટલે દેખતા નથી એમ કહેવાય છે, પણ કેવળજ્ઞાની મહાત્મા તે તેમને જોઈ શકે છે. કેવળી ભગવાન સિદ્ધનું જ સ્વરૂપ જુએ છે તે જીવ દ્રવ્યના શુદ્ધ આત્મપ્રદેશ માત્ર છે, અને એ જ અવધે છે. ઇત્યાદિ દ્રષ્ટાંતથી સિદ્ધની અવગાહનાની સમજણ ધારવી.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy