SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ થઈએ છીએ અને તેથી તમામ જાતના ભયથી નિવૃત્તિ થાય છે. એવા મહાત્મા મહાભયંકર સ્થળમાં, હિંસક અને કૂર પ્રાણીઓના સમુહમાં, પ્રાણાંત ઉપસર્ગ પડે તેવા પ્રસંગમાં જરા પણ ક્ષોભ પામતા નથી. એ ધ્યાન અખંડ અને એકાગ્રતાથી ચાલુ રાખવાથી અલ૫ કાળમાં તે મહાત્મા ઈષ્ટિત અર્થ સાધી પરમ સુખ પામે છે. તૃતીય પત્ર–“રૂપસ્થ ધ્યાનમાં . (૩). “રૂપસ્થ ધ્યાન”—રૂપી પરમાત્માના ગુણમાં સ્થિર થવું તે “કરૂપસ્થ ધ્યાન એમ અહંત પાહુડમાં કહેલું છે. जे जाणइ अरिहंत, दव्व गुण पज्जवे हिय,। ते जाणइ नियऽप्पा, मोहे खलु जाइयं लयं॥ અર્થ જે દ્રવ્ય, ગુણ અને પર્યાયે કરી અર્હત્ પ્રભુનું સવરૂપ જાણશે તેજ આત્માના સ્વરૂપને જાણશે; અને જે આત્માને પિછાણશે તેજ મોહ કર્મને નાશ કરશે. અહંત, અરિહંત અને અરહંત એવા ૩ શબ્દ છે. (૧) દેવેંદ્ર, નરેંદ્ર વગેરેના પૂજ્ય, ચેત્રીશ અતિશય વગેરે ઋદ્ધિવાળા તે અહંત, (૨) કર્મ અને રાગદ્વેષ રૂપી શત્રુને નાશ કરે તે અરિહંત અને (૩) જન્મ રેગ વગેરે દુઃખના અંકુરને નાશ કરનારને અરૂહંત કહે છે. શ્રી અહંત ભગવાન અનતજ્ઞાન, અનંતન, અનંત ચારિત્ર અને અનંત તપ એ ચાર અનંત ચતયે વિરાજમાન છે, વળી સમવસરણની મધ્યમાં, અશોક વૃક્ષની નીચે, મણિરત્નથી જડિત એવા સિંહાસન ઉપર, ચાર આંગળ અધર, છત્ર, ચામર, પ્રભા મંડળની વિભૂતિથી વિરાજમાન, બાર જાતની પરિષદાથી વિચારી પ્રભુ દિવ્ય વનિને પ્રકાશ કરે છે. ભાદરવા મહિનાની વરસાદની ગર્જનાની પેઠે એ અવાજ (દિવ્ય વનિ) ચારે તરફ ચાર કેસમાં ફેલાય છે. પ્રભુની એ દિવ્ય અવનિ સાંભળીને અશ્રુતદ્ર, શકેંદ્ર ઘરે
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy