SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ - મલેક દેશમાં ઉત્પન્ન થઈને નામ માત્ર મનુષ્ય હોય છે પણ તેનાં કર્મો તે પશુઓથી પણ ખરાબ હોય છે. તેઓ ધર્મના નામમાં પણ સમજતાં નથી, મનુષ્યને આહાર કરે છે, નાગા ફરે છે. માતા, બહેન, પુત્રી વગેરે સાથે વ્યભિચાર કરવામાં પાછી પાની કરતા નથી, અને જંગલમાં ભટકી ભટકીને જન્મ પૂર્ણ કરે છે. અકર્મભૂમિના ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં દેવકુફ અને ઉત્તરકુરૂ ક્ષેત્રમાંનાં મનુષ્યમાં સુખની ઉત્કૃષ્ટતા છે, હરિવાસ, રમવાસમાં સુખની મધ્યમતા છે, અને હેમવય, હિરણુવયમાં સુખની કનિષ્ટતા છે. પણ ધર્મ રહિત ભદ્રિક પરિણમી હેઈને પૂર્વનાં પુણ્યના પ્રતાપ મળેલાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષના જેગથી સુખ ભેગવી તે મરી જાય છે. . . અંતરદ્વીપમાં રહેનારા મનુષ્ય-નામ માત્ર મનુષ્ય છે. પાણીમાં આવેલા ડુંગરમાં તથા વનમાં રહે છે, શરીર માણસના - જેવું હાઈને કેટલાંકનાં મુખ, હાથી, ઘેડા, સિંહ, ગાય જેવાં હોય છે. એ મિથ્યાદ્રષ્ટિ છે, પુદયથી એની પણ ઈચછા કલ્પવૃક્ષ પૂરે છે. સમૂછિમ મનુષ્ય-ફકત મનુષ્યમાંથી નીકળતા અશુચિ પદાર્થ મળ, મૂત્ર, રકત વગેરેમાં થાય છે જેથી તેને મનુષ્ય કહે છે. એ મનુષ્ય નજરે ન દેખાય તેવાં સૂક્ષ્મ રૂપથી એક સ્થાનમાં ભેળાં અસંખ્ય ઉપજે છે અને તુરતજ મરે છે. ઝાડા ઉપર ઝાડે, પેશાબ ઉપર પિશાબ વગેરે કિયાથી એ જીની હિંસા હરઘડી થાય છે. એવા દુઃખમય સ્થાનમાં આપણે જીવ અનંત વિટંબણા ભેગવી આવ્યું છે. માણસના જન્મમાં દુઃખ ઘણું છે છતાં તેને ઉત્તમ કહેવાનું કારણ એજ છે કે તેમાં તીર્થકર, સાધુ, શ્રાવક વગેરે બને છે અને મનુષ્ય જન્મ વિના ક્ષે જવાતું નથી. (૪) દેવગતિ–દિવ્ય એટલે ઉચ્ચગતિવાળા તે દેવતા તેની ૧૮ જાત છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy