SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે, પાછે એને પોતે પણ લાગવે મુશ્કેલ છે, તેમ હે જીવ! તે પણ કેઈને બાપ, કેઈને પુત્ર, કેઈની સ્ત્રી, વગેરે રૂપ ધારણ કર્યા, અને છેડયાં, હાલ તે તને ઓળખે નહિ, તું તેને પિછાણે નહિ, એવા એવા વિચારે તારી નજર આગળ રજુ થાય છે છતાં તને એકરૂપણને ભાસ પણ થતું નથી એ કેવું આશ્ચર્ય !! - સારાંશ એ છે કે હે આત્મા, સર્વ જગતના પદાર્થો તારાથી સાવ જૂદા છે, અને તું તેનાથી જૂદે છે; તારે ને એને જરા પણ સંબંધ નથી, તેથી હવે તું તારા શુદ્ધ મૂળ સ્વરૂપને ઓળખી ખાત્રી કર કે હું શુદ્ધ છું, હું સત્ય છું, હું ચિદાનંદી છું. હમેશાં આ પ્રમાણેના ધ્યાનમાં લુબ્ધ થા તે જરૂર તે રૂપે બની જા.' ચતુર્થ પત્ર– “સંસારાનુપ્રેક્ષા.” હર તિ સંસાર” જેમાં પરિભ્રમણ કરવાનું છે તે સંસાર અને તે સંસારના સ્વરૂપને વિચાર તે સંસારાનુપ્રેક્ષા સંસાર ચાર તરેહને છે તે ચાર તરેહને ચાર ગતિ કહે છે. એ ચાર ગતિમાં ગમન ને આગમન એટલે ગતાગત થયાં કરે છે. ચાર ગતિનું વર્ણન આ પ્રમાણે છે. (૧) નરકગતિન=નહિ, અર્ક=સૂર્ય, અર્થાત્ જયાં સૂર્ય નથી એવું અંધકારમય સ્થાન તે નરકગતિ, એ નરકગતિ કે તમ ગતિનાં જ સાત સ્થાન અલેકમાં એકેકની નીચે છે. તેનાં નામ (૧) રત્નપ્રભાશ્યામ રંગનાં રત્નમય ભયંકર સર્વ સ્થાન. (૨) શર્કરપ્રભાતરવારથી પણ અતિતીણ સર્વ સ્થાન. (૩) વાલુપ્રભા-ભાડભું જાના વાસણની રેતીથી પણ અત્યંત ગરમ સર્વ સ્થાન-(૪) પંક * ઘણું શાસ્ત્રમાં નરકગતિનું તમગતિ પણ નામ છે. ક ઘમ્મા, વંશા, શીલા, અંજણ, રિ, મધ્ધા, માઘવઈ, એ સાવ : નરકગતિનાં નામ છે, અને ઉપર જે અર્થ સહિત વર્ણન કર્યું છે તે નરકગતિન (રત્નપ્રભા વગેરે) સાત ગાત્ર છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy