SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ છે, જેમ જેમ ધન વધે છે તેમ તેમ તૃષ્ણામાં ઘણું વધારે થતું જાય છે અને “વૃ ધાર પર સુવું” એટલે તૃષ્ણા છે તે પરમ ઉત્કૃષ્ટ દુઃખ છે. હવે અંતરાય કર્મ તૂટવાથી ધનની વૃદ્ધિ થઈ તે તેનું સંરક્ષણ કરવામાં ઘણું દુઃખ ભેગવવું પડે છે. રખે મારૂં ધન રાજા, ચાર, અગ્નિ, પાણી, પૃથ્વી, કુટુંબ, દેવતા વગેરે નાશ કરે; રખે ખરચતાં ઘટી કે ખૂટી જાય; મૂડીમાં એક પાઈ પણ ઘટી જાય તે શેઠ સાહેબને જરા પણ ચેન ન પડે તે પછી પૂરેપૂરો નાશ થવા ટાણે જે દુઃખ થાય તેની તે વાત જ શી કરવી! ઈત્યાદિ વિચારેથી ધન પિોતે દુઃખનું જ સાધન જણાય છે. કેટલાક સ્ત્રીઓથી સુખ માને છે, પણ પ્રતિવ્રતા સ્ત્રી આ કાળમાં મળવી મહામુશ્કેલ છે અને કુભારજા તે ઘેર ઘેર દેખવામાં આવે છે. ઉત્તમ જાતિઓમાં પણ સ્ત્રીઓ પતિનું અપમાન કરે છે, પતિની નજર આગળ અનાચાર સેવે છે, પતિને પિતાના હુકમ પ્રમાણે ચલાવે છે, પારકા ઘરમાં પૂરાઈ પતિના નામને બટે લગાડવામાં કંઈ બાકી રાખતી નથી. શું આવી સ્ત્રીઓથી સુખ સમજે છે? કેટલાક વળી પુત્રથી સુખ સમજે છે. પુત્ર થવા સારૂ સમ્યકત્વરૂપી ઉત્તમ રત્નને બટે લગાડી કુદે, ઢેડ, અમરેને પગે પડે છે અને ધર્મ ભ્રષ્ટ પણ થાય છે. પુત્ર થયે તે તે આ કાળમાં સપૂત નીકળવું મુશ્કેલ છે, પણ કુપુત્ર તે ઘણું દેખાય છે. ઘરડા માતાપિતાને વચન બાણથી તથા લાકડીથી મારે છે, ઘર-ધન વગેરે પદાર્થ પર પિતાની મુત્યારી કરી માબાપને રઝળાવવા કેર્ટમાં કજીએ ચડી ફજેતી કરાવે છે. આ પ્રમાણે પુત્રમાં પણ સુખ જોવાઈ રહ્યું. હવે સંસારનાં કયાં કયાં સુખનું વર્ણન કરૂં? “ સંસાર તુર વાણ' એટલે સંસાર તે દુઃખે કરીને પ્રતિપૂર્ણ ભયે છે. આ પ્રમાણે પાપનાં ફળ શ્રોતાજનને બતાવે છે. (૨) હવે પુણ્યનાં ફળ બતા વે છે. જે કેઈને દુખ દેતું નથી તે હમેશાં નિરાંતે આરામ કરે છે. વખત ઉપર સે મળીને તેને મદદ કરે છે. જે જાયું નથી બોલ,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy