SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજની ઉનક, તિન્ય . અત્રી પરમાનંદ ૧૩૬ અંતરાય એ ત્રણને સ્વાભાવિક રીતે નાશ થઈ ગયે. આકાશમાં દેવતાઓએ જય જયકાર કર્યો, શ્રેષ્ઠ દ્રવ્યની વૃષ્ટિ કરી અને દેવ દુંદુભિ વાગવા માંડયાં. ચિતન્ય મહારાજને કેવળજ્ઞાન, કેવળદર્શરૂપી મહા ઋદ્ધિની પ્રાપ્તિ થઈ અને ત્રણે લેકમાં ચિતન્ય મહારાજની આણ દુવાઈ ફરી ગઈ. સર્વ જગતના વદનિક, પૂજનિક, અને અર્થનિક, ચિતન્ય મહારાજા બન્યા. પિતાનું તમામ કામ, વિવેક મંત્રીશ્વરની સલાહથી સિદ્ધ થયું જાણી ચૈતન્યરાય, સપરિવાર સંયમરૂપી મહેલમાં પરમાનંદ ભગવે છે. એવામાં એક દિવસ વિવેકચંદ્ર કહે, સ્વામી, આપની ઈષ્ટિત અર્થ સિદ્ધિ થયાથી હું કઈ પણ પ્રકારની સલ્લાહ દેવા અસમર્થ છું. આપ જાણે છે કે આપના ચાર શત્રુ હજી આપની સાથે છે. એને કઈ વિચાર કરે ઘટે છે. ચૈતન્ય મહારાજા બોલ્યા, કંઈ વિચાર કરવાની જરૂર નથી. એ ચાર શત્રુ બિચારા નિર્બળ થઈને પડયા છે. તેઓ મારી સાથે રહીને જગતના જીનું ભલું થાય તેવું જ કામ કરે છે. મને તેઓ જરાપણ હરકત કરતા નથી. આયુષ્ય, નામ, ગેત્ર, અને શાતાવેદનીય એ ચારે એક આયુષ્યના આધારથી ટકી રહ્યા છે. આયુષ્ય તે બિચારું સ્વભાવથી જ ક્ષણે ક્ષણે ઘટી ક્ષય પામે છે અને એમ સર્વથા ક્ષય થશે કે બાકીના ત્રણ પણ તેની સાથેજ ક્ષય પામશે, એટલે હું સીધે સીધે શિવપુરમાં જઈ અજર, અમર, અવિકારી બની, અક્ષય અને અનંત પરમ સુખને ભેકિતા બનીશ. અપાય વિચય નામે ધર્મ ધ્યાનના ત્રીજા પાયાનું ધ્યાન કરનાર મનુષ્ય અનંત કાળથી હેરાનગતિ કરનારા કર્મ શત્રુઓ શી રીતે નાશ પામે તેને વિચાર એકાગ્રતાથી તાદૃશ બની ચિંતવે છે અને કર્મવૃદ્ધિનાં કામેથી નિવૃત્તિભાવ ધારણ કરી આત્મ સુખના ઉપાયમાં સંલગ્ન બની મેક્ષ માર્ગે જવા સમર્થ બને છે. એમ કરતાં કઈ કાળે તે અક્ષય સુખને ભોક્તા જરૂર થાય છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy