SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પાંચ પ્રમાદ, गाथा-मद विसय कसाय, निदा विकहाय पंचमा भणिया। ए ए पंच पमाया, जीवा पाडंति संसारे ॥१॥ (૧) મદ-જીને જાતિ, કુળ, બળ, રૂપ, લાભ, જ્ઞાન, તપ અને ઐશ્વર્ય એ આઠ પ્રકારની ઉત્તમતા પુણ્યદયથી મળે છે. એ આઠ ચીજનું અભિમાન કરે છે, પણ તેને સંયમમાં, બ્રહ્મચર્યમાં અને પરે પકાર વગેરેમાં નથી વાપરતા, અને કાંઈક ભલું કામ કર્યું તેના પ્રતાપે જરા આબરૂદાર થયા કે વિચારવા મંડે છે કે હું પંડિત છું, શુદ્ધઆચારી છું, વક્તા છું, બધા માણસે મને સત્કાર સન્માન આપે છે, હું જગતપ્રસિદ્ધ છું, સરસ્વતી કંઠાભરણ, વાદી, વિજય વગેરે ઈલ્કાબ મને મળ્યા છે, વધારે તે શું પણ હું એક અદ્વિતીય મહાત્મા છું, એવા વિચારેથી જે છલકાઈ જાય છે અથવા પિતાને મઢે પિતાની બડાઈ હાંકવા મંડી જાય છે, તે જ્ઞાનાદિ ગુણથી નષ્ટ થઈ ભ્રષ્ટ બને છે. અભિમાની છે પિતાના જરા સદ્દગુણને અને દુશ્મનના જરા દુર્ગુણને મેરૂ બાબર જુએ છે, અને બીજાના અપાર ગુણે તથા પોતાના અપાર દુગુણને રાઈ બરોબર સમજે છે. આથી તે પિતાને ઉદ્ધાર કરી શકતું નથી. અભિમાન પિતે આવા આવા દુર્ગણેથી. ભરેલું છે, આથી તેને મદિરા નામ આપેલ છે. (૨)-વિષય-એટલે વિષય. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પચે વિષયની પૂર્ણતા, પુણ્યદયથી મળે છે. એ પાંચે ગુણની પૂર્ણતાને ગુણીજનના ગુણ ગાવામાં, સાધુ દર્શનમાં, અને તપ વગેરે સત્કાર્યમાં નહિ વાપરતાં,બિભત્સ શબ્દોચ્ચાર, રૂપ અવેલેકના ગધગ્રહણ, અભય ભક્ષણ, અને ભેગ વિલાસમાં લગાડે છે તે તેને પિતાનેજ નાશ કરે છે. અમૃત સમાન એ પાંચ ગુણને જે વિષયમાં
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy