SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ તેમાં શું આશ્ચર્યા? (૮) વળી કેવળી ભગવાનનાં વચને ઉથાપીને અમુક સંખ્યામાંજ દ્વીપ અને સમુદ્ર બતાવે છે તેવા કેઈએ પૃથવીના અંત દીઠે નથી તે પછી દ્વીપસમુદ્ર અને તેમાં પ્રકાશ કરનારા ચંદ્ર સૂર્ય પણ અસંખ્ય છે એમ કેવળજ્ઞાની પ્રભુએ નજરે જઈ કહ્યું છે, એમાં શું આશ્ચર્ય છે? (૯) આંખે નથી દેખાતા એવા શબ્દ, ગંધ વગેરે ગ્રહણ કરવાનું કબૂલ કરે છે તે પછી અરૂપી પદાર્થોને વગર યે માનવામાં શું અડચણ છે? (૧૦) ઘી ખાતાં છતાં તેને સ્વાદ કહી શકાતું નથી તે પરમ સુખનું ધામ જે મેલ તેનું વર્ણન મુખથી શી રીતે થઈ શકે? ભગવે તેજ જાણી શકે. એ પ્રમાણેના સ્થૂળ વિચારોથી કેટ વીક સ્થળ બાબતેને નિર્ણય થઈ શકે અને કેટલીક ગહન બાબતોને નિર્ણય ન પણ થઈ શકે. તે પણ સમ્યકત્વ દ્રષ્ટિ જીવે વીતરાગી પ્રભુનાં વચને પર શ્રદ્ધા રાખવી જ જોઈએ. જેમ આપણને બે રૂપિયાની કિંમતને લાગતે હીરે, ઝવેરીને કહેવાથી લાખ રૂપીઆને માનીએ છીએ તેમ મહાન ઝવેરી તીર્થકર દેવનાં વચને માનવાં. મિથ્યાત્વી જીવ ખાલી સંશયમાં પડી પિતાનું સમ્યકત્વ ગુમાવી દે છે તેને સંશયિક મિથ્યાત્વ કહે છે. * પ–અનાગ મિથ્યાત્વ–એકાંત જડ, એકાંત મૂઢ, ના કઈ સમજે કે ન કંઈ કરે, ધર્મ અને અધર્મનું નામ પણ ન જાણે, એકેદ્રિયાદિ જીવ (અવ્યક્તતા એટલે) અજાણપણામાં છે એ જે હોય તે અનાગ મિથ્યાત્વ જાણુ. " મિથ્યાત્વને અર્થ જૂઠ થાય છે. સત્ય ને અસત્ય શોધે અને અસત્યને સત્ય શ્રધે તે મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વતે બુદ્ધિને બગાડનારું તથા આત્મહિતને નાશ કરનારું જાણીને ધ્યાની જીવ છોડી દે છે. આ પ્રમાણે ધર્મધ્યાનના આજ્ઞાવિચય નામે પહેલા પાયાની એક ગાથાને અર્થ યત્કિંચિત્ કહ્યો. એમાંથી 3ય એટલે
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy