SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આ તરફના આદિવાસી લેકે આ શ્રી પાર્શ્વનાથની મૂર્તિને “ભીમદાદા”, શ્રી આદીશ્વરની મૂર્તિને “અન” અને શ્રીનેમિનાથ ભગવંતની પ્રતિમાને “યુધિષ્ઠિર” કહીને મહાભારતના પાત્રોની સ્મૃતિ તાજી કરાવે છે. મૂળગભારાની પાછળના ભાગની મંદિરની ભીંતમાં સુંદર કેર કરેલી છે. મંદિરની પાછલી ભમતીમાં પરિ. કરેના સેંકડે ટુકડા, પબાસન અને ગાદીના ટુકડા, કાઉસગ્ગિયા, પરિકરમાંથી છૂટા પડી ગયેલા ખંડિત–અખંડિત ઈંદ્રો, અનેક સ્તયુક્ત નકશીદાર સુંદર તેર વગેરે પડેલાં છે. વળી, આમાં જિનમાતૃપટે, વીશીના પટે છે, જેમાં લગભગ સો જેટલો લેખે પણ હશે. એક લેખ સં. ૧૨૦૪ ને છે એટલે એ પહેલાં આ મંદિર બન્યું હશે, કેમકે તેમાં આરાસણ–અરિષ્ટનેમિચય” એ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો વાંચી શકાય છે. મંદિરના પાછલા ભાગના ગોખલામાં “સમળીવિહાર'. ના પટનો નીચેને અર્ધ ભાગ ચુંટાડેલ છે. આ પટમાં લંકાના રાજા બેઠેલા છે. તેમના ખેાળામાં રાજકુમારી છે. ભેટશું ધરીને ઊભેલા જેન ગૃહસ્થ, પગલાં અને અશ્વ વગેરેની આકૃતિ આરસમાં કોતરેલી છે. બાકીને ઉપરને અડધે પટ અહીં દેરીઓ પાસે જ્યાં દેરીઓના પબાસન વગેરે કાઢી નાખેલાં પડ્યાં છે ત્યાં દિવાલ પાસે મૂકેલે છે, તેમાં સમુદ્ર, નર્મદા નદી, ઝાડી, સમળી, પારધિ, જૈનાચાર્ય અને વહાણુની સુંદર આકૃતિ આલેખી છે.
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy