SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ફેરફાર થયે એ જાણવા મળતું નથી. પણ આસમાની-સુલતાની વખતે આ ફેરફાર થયે હશે. (૩) શ્રી મહાવીરસ્વામી, (૪) શ્રીનેમનાથ, (૫) શ્રી પાર્શ્વનાથ, (૬) શ્રીમલ્લિનાથ અને (૭) શ્રીચંદ્રપ્રભસ્વામીની પાષાણની પ્રતિમાઓ છે. પરિકરમાંથી અલગ પડેલી બે કાઉસગિયા મૂર્તિઓ પણ પાષાણુની છે. ધાતુની નાની મોટી ૧૫ જેટલી પ્રતિમાઓ છે. તે પૈકી ૧ ધાતુપ્રતિમા રણદવાસી શેઠ શંકરલાલભાઈએ અહીં પધરાવી છે. ઉપરના માળમાં મૂ૦ ના શ્રી પાર્શ્વનાથ ભટ ની પંચતીર્થીના પરિકર સાથેની મૂર્તિ છે. પરિકર મેટું છે એટલે તે બીજી પ્રતિમાનું લાગે છે. મૂળ ના ની ગાદી ૧૨-૧૩ મા સૈકાની પ્રાચીન છે. મૂળ નાવને છત્રી છે ને તેમાં ત્રણ તારણે છે. તે બધાં નકશીવાળાં છે. મૂળનાયકની નીચે આ પ્રકારે લેખ છે– सं० १८७३ माघमासे श्रीशुक्लपक्षे ७ शुक्रे श्रीश्रीपार्श्वनाथबिंब - શ્રી.... મૂનાની ડાબી બાજુના ગભારાની મૂર્તિ ઉપર આ પ્રકારે લેખ છે— सं० १८७३ माघ शु० ७ शुक्रे वा० श्रीअजितनाथबिंब મ. શ્રી શ્રી.... !! ૨ શ્રી ગોડી પાર્શ્વનાથ ભ૦ નું દેરાસર - દશાશ્રીમાલીવાસમાં શ્રી. ગોડી પાર્શ્વનાથ ભટ નું શિખરબંધી દેરાસર છે. મૂળ ના. ની પ્રતિમા પ્રાચીન છે. એમની બંને પડખેની પ્રતિમાઓ સં. ૧૮૭૬ની સાલમાં છે. આરસની કુલ ૫ પ્રતિમાઓ છે. ભમતીના એક ગોખલામાં અંબિકાદેવીની નાની મૂર્તિ છે. મુજપુરની એક પિલાળમાં એક યતિ મહાત્મા રહેતા હતા. પેટીમાં પ્રાચીન પુસ્તક ભંડાર હતો. “એ પેટીને ખોલવી નહી, બોલનાર મૃત્યુ
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy