SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ VAVAVAV VAVAVAVAVAVAAVAVA મુજપુર શ્રેષ્ઠી ગાદડભાઈ મુંજપુરના હતા. ત્યાંની બધી સંસ્થાઓમાં તેમને વહીવટ હતા તેથી મુંજપુરને સામાન્ય પરિચય અને ત્યાંના દેરાસરાના ઇતિહાસ અહીં આપવા અપ્રસ્તુત નહીં ગણાય. મુંજપુર કયારે વસ્યું એ વિષે એક છપ્પય પ્રસિદ્ધ છે - ભાજરાજ સંધલ હણ્યા, તે પુત્ર રાજહ કારણ, તે હત્યા ઉતારવા, આણ્યેા ક્ષેત્ર ધર્મારણ્ય; પારવંશ પ્રથીને અમલ, છત્ર ધર્યા રાય ભેાજ શિર, વાશિયા મુંજે મુંજપર, સંવત ત્રણ ઇકલ તર.” આ ઉલ્લેખને ઐતિહાસિક માનીએ તે પરમારવંશીય રાજા મુંજે સ૦ ૧૦૦૩માં આ મુંજપુર ગામ વસાવ્યું એમ મનાય અને મૂળરાજ સાલકીએ આ ગામ એક પંડિતને દાનમાં આપેલું એમ જાણવા મળે છે. આ ઉપરથી લાગે છે કે મુંજપુર ૧૧ મા સૈકા જેટલું જૂનું છે. એ પછીના સમયના મુંજપુર વિશેના ઉલ્લેખે આ પ્રકારે મળે છે: “ સામસૌભાગ્યકાવ્ય ’થી જણાય છે કે, ‘ મંજિગનગરના રહેવાસી મૂઢ નામના શ્રાવકે અસંખ્ય ધાતુની ચાવીશીએની મૂર્તિઓ ભરાવી હતી અને તેની શ્રીસેામસ દરસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી.૨ ૧, ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથેાની સવિસ્તર માહિતી, પૃ૦ ૨૭૪ ૨, જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૪૫૮
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy