SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ આ ચ લ ગ વિ. સં. ૧૫૬૬ના ફાગણ શુદિ ૧૦ ને સોમવારે, તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિના પરિવારમાં થયેલા શ્રી સુમતિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીકમલકલશસૂરિના શિષ્ય શ્રી જયકલ્યાણસૂરિજી પાસે પ્રતિષ્ઠિત કરાવ્યું છે. સંઘવી સહસાએ લાખ રૂપિયા ખર્ચીને આ મંદિર બંધાવવા ઉપરાંત તેની પ્રતિષ્ઠા વખતે હજારો માણસને મોટા ઠાઠ સાથેને સંઘ કાઢી, અચલગઢ આવી, મોટી ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કરી તેમાં લાખો રૂપિયા કે સોનામહોર ખચી હતી, એ નિ:સંદેહ વાત છે. પં. શ્રીશીલવિજ્યજીએ સં. ૧૭૪૬માં રચેલ “તીર્થમાલાની કડી કપમાં લખ્યું છે કે “સં. સહસાએ આ પ્રતિષ્ઠામહોત્સવ વખતે સેવકે (સેવક, ભોજક આદિ યાચકે)ને એક લાખ દ્રવ્ય દાનમાં દીધું.” આ ઉપરથી એ સહેજે સમજી શકાશે કે–સં. સહસાએ પ્રતિષ્ઠામહોત્સવ વખતે કેટલું ધન ખેચ્યું હશે, અને તે કેટલે ઉદાર-દાનવીર હશે. સં. સહસાએ મંદિર બંધાવવામાં કેટલું દ્રવ્ય ખચ્યું હશે તેનું અનુમાન આ મંદિરને નજરે નિહાળનાર સહેજે કરી શકે તેમ છે. થયો છે, પરંતુ શ્રીસુમતિસુંદરસૂરિજીના ઉપદેશથી સંઘવી સહસાએ મહારાવ લાખાની અનુમતિથી આ મંદિર બંધાવવાનું કાર્ય વિ. સં. ૧૫૪૦ પહેલાં જરૂર શરૂ કરી દીધું હશે, એમ લાગે છે.) અચલગઢમાં ચૌમુખજીનું મંદિર બંધાવ્યું.” આ મંદિર સંબંધી તેમજ સંઘવી સહસા અને તેના કુટુંબી સંબંધી વિશેષ હકીક્ત જાણવા માટે “અબુદ પ્રાચીન જૈન લેખ સંદોહ” પૃષ્ઠ ૪૯૮થી ૫૦૬ જુઓ.
SR No.006289
Book TitleAchalgadh Sachitra Aetihasik Varnan
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1948
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy