SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં લતામાં નથી દેખાતું. આ દુનિયાની કાયદેસરની સજાએ ભાગવવામાંથી જે છૂટી જાય છે તે દેવાએ નક્કી કરેલી ન્યાયી સજાને ભાગવવામાંથી કદી પણ નથી છૂટી શકતા. પશ્ચાત્તાપ વગરની કઠોર દડની દેવીનું જોખમ એમને માથે ડગલે ને પગલે લટકતું રહે છે. ૪૮૪ (૮) શોક તે સંતાપના દુઃખદાયક સાગરમાં જે સપડાઈ ચૂકયા છે, અથવા આંસુના ધુમ્મસ સાથે જેમણે અનેક અધકારમય વરસે સુધી સફર કરી છે, તે જીવનદ્વારા મૂક રીતે પ્રદાન કરાતા સત્યને ગ્રહણ કરવા બીજા કરતાં કાંઈક જલદી તૈયાર થઈ શકશે. એ કાઈ બીજો અનુભવ નહિ કરી શકે તાપણ, પ્રારબ્ધની કરુણ ક્ષણભંગુરતાના અનુભવ તેા કરી શકશે. સુખના દિવસેાથી જે ભ્રાંત બની કે છકી નહિ જાય તે દુઃખના દિવસેાથી વધારેપડતા નહિ ડરે. એવું એકે જીવન નથી જે સુખ અને દુઃખના તાણાવાણાથી ન બન્યું હોય. એટલે કાઈ પણ માણસને અભિમાની અને ધર્માચાય જેવું જડ બનીને જીવવાનું ન પાલવે. એવી રીતે જીવનાર કે ચાલનાર ભયંકર જોખમેાથી ભરેલા ફેરા ફર્યા કરે છે. અનેક વરસાની મહેનતથી જે મેળવ્યું હોય તેને ઘેાડા જ દિવસેામાં સાફ કરનારા અદૃષ્ટ દેવાની આગળ માણસે નમ્રતાના જ એકમાત્ર ઉચિત અચળા ધારણ કરવા જોઈએ. બધી જ વસ્તુઓનુ ભાગ્યચક્ર ફર્યાં કરે છે, અને વિચાર વગરના નિરીક્ષકને જ એ હકીકતની ખબર નથી હોતી. વિશ્વમાં પણ એવું જોઈ રાકાય છે કે સૂર્યથી દૂરના ગ્રહની પાછળ સૂર્યની નજીકના ખીજો ગ્રહ હેાય જ છે. એવી રીતે માણુસના જીવન અને ભાગ્યમાં પણ સપત્તિની ભરતીની પાછળ આપત્તિના આટ આવે જ છે. આરાગ્ય એક ક્ષુલ્લક અતિથિ હાઈ શકે, અને પ્રેમ ફરીથી ભટકવા કે ખીજાની પાસે જવા માટે પણુ આવી શકે, પરંતુ વેદનાની લાંખી રાતના અંત આવે છે ત્યારે નવા મળેલા અજ્ઞાનનુ પરાઢિયું ઝાંખુ ઝાંખુ પ્રકાશી ઊઠે છે. એ બધી વસ્તુએના છેલ્લા પટ્ટા પાઠ એ છે કે માણસ જાણે કે ન જાણે અથવા શોધે કે ન શોધો, તેાપણુ એણે પેાતાની અંદર રહેલા એ સનાતન
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy