SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં પણે પુરવાર કરે છે કે કેાઈ ગૂઢ શક્તિ એમનું રક્ષણ તેમ જ પથપ્રદર્શન કરતી હતી. આખરે એ જ્યારે પેાતાના મંતવ્યસ્થાને આવી પહેાંચ્યા ત્યારે તદ્દન નિરાધાર અને અપરિચિત લેાકાથી ઘેરાયેલા હતા. પરન્તુ એમની અંદર સંપૂર્ણ ત્યાગની ભાવના તીત્રપણે સળગી ઊઠેલી. દુન્યવી પદાર્થો માટેના એમના તિરસ્કાર એ વખતે એટલા બધા તેજ હતા કે પેાતાના ઝભ્ભાને એમણે એક તરફ ફેંકી દીધા અને મંદિરના પ્રાંગણમાં તદ્દન નગ્ન બનીને ધ્યાનમુદ્રામાં બેસી ગયા. એક પૂજારીએ એ જોયું અને એના વિરોધ કર્યા; પરન્તુ કાંઈ જ ન વળ્યું. ખીન્ન ખળભળી ઊઠેલા પૂજારીએ ત્યાં આવી પહેાંચ્યા. એમણે પુષ્કળ પ્રયત્ના કર્યા ત્યારે યુવાન રમણે ઘેાડી છૂટછાટ મૂકી. એમણે એક અકટિવસ્ત્ર કે કૌપીન પહેરવાનું સ્વીકારી લીધું. ત્યારથી માંડીને આજ સુધી એમણે એટલું જ પહેર્યુ છે. ૪૪૮ છ મહિના સુધી એ મન્દિરના પ્રાંગણમાં જુદીજુદી જગાએ રહ્યા, અને બીજે કયાંય ન ગયા એક પૂજારી દ્વારા દિવસમાં એક વાર લાવવામાં આવતા થાડાક ભાત ખાઈને એ નિર્વાહ ચલાવતા. એ પૂજારી એમના વેગથી વિકસતા વ્યક્તિત્વને જોઈને સ્તબ્ધ બનેલા. રમણુ આખા દિવસ દરમિયાન ઊંડી ભાવસમાધિમાં અને યેાગની આધ્યાત્મિક સમાધિમાં એવા તે લીન બનતા કે એમને એમની આજુબાજુના જગતનું જરા પણ ભાન ન રહેતું. કેટલાક અસભ્ય મુસ્લિમ યુવાનોએ એમના પર કાદવ નાખ્યા ત્યારે થાડા કલાક સુધી તેમને તેની ખબર પણ ન પડી. એમના અંતરમાં એમને માટે કાઈ જાતના ખૂરા ભાવ પણ પેદા ન થયેા. મન્દિરમાં યાત્રીએના પ્રવાહ ચાલવાથી એમની દચ્છા પ્રમાણેનું એકાંતસેવન એમને માટે મુશ્કેલ બની ગયું. એને લીધે એ સ્થળને ત્યાગ કરીને ગામથી થેાડેક અંતરે આવેલાં ખેતરામાં એક શાંત દેવાલયમાં એમણે આશ્રય લીધે. ત્યાં એમણે દાઢેક વરસ વાસ કર્યો. મન્દિરના દર્શને આવતા થાડા લેાકેા દ્વારા લાવવામાં આવતા ખારાકથી એ સંતેાષ માનતા.
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy