SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં મહેરબાબા પેાતાનું મૌનત્રત કયારે પૂરું કરશે એ સંબંધમાં માટીમેાટી વાતા વહેતી કરવામાં આવે છે. એ કદી પણ મૌનવ્રત તાડશે કે નહિ એ બાબત આપણને વિચાર કરતા કરી મૂકે છે. છતાં એટલું તેા કાઈ પણ પ્રકારની વિશેષ સમજશક્તિ વિના જ સમજી શકાય છે કે લાંબે વખતે એ ખેાલવા માંડશે તાપણુ, એમના શબ્દો જગત માટે નકામા જ થઈ પડશે. શબ્દો કાંઈ ચમત્કારા નથી કરી શકતા. એમની અવિચારી ભવિષ્યવાણી સાચી પડે કે ન પણ પડે. ખાસ વાત તેા એ છે કે પયગંબર પેાતાની જાતને ઈશુ અને બુદ્ધની કાટિમાં મૂકવાની હિંમત કરે છે. પર ંતુ મને તેા એમનામાંથી, કાઈક અલૌકિક જીવનકાવાળા મહાપુરુષ પાસેથી મળતી પ્રેરણા જેવી પ્રેરણા તે શું પણ એક સાધારણ સંતપુરુષ પાસેથી જેની આશા રાખી શકાય તેટલી પ્રેરણા પણ ન મળી. એવા માણસના સ ંદેશ બહેરા તેમ જ ધ્યાન ન આપનારા કાને જ અથડાવાના. ૪૦૮ એમના ઉત્સાહી અનુયાયીઓનુ શું ? ઠંડી ગતિએ આવેલા કઠોર કાળ એમને છૂટા પાડશે ? એને આધાર એમની બૌદ્ધિક અને આધ્યાત્મિક પરિપક્વતાની માત્રા પર તથા ચારિત્ર્યને સમજી શકવાની એમની શક્તિ પર તેમ જ એમના વ્યાવહારિક અનુભવની વિશાળતા પર રહેશે. તર્ક અને લાગણી, ઇતિહાસ અને અફવા, તથા કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેના ભેદ પારખનારી અને એમને અલગ પાડનારી વૈજ્ઞાનિક વિચારધારાની તાલીમ વગરની, સમજણના અભાવવાળી, અતિધાર્મીિક જાતિની ત્રુટિઓથી પીડાય છે. ઉત્સાહી અનુયાયીઓનું ટાળું એકઠું કરવાનું કામ સહેલું છે. એ ટાળુ પ્રામાણિક સાધંકાનું, મૂર્ખ અને અનુભવ વિનાના લોકાનું હાય, કે પછી એમના કરતાં વધારે મહત્ત્વ ધરાવતા ગ્રહોની સાથે પેાતાને તેમ જ પેાતાના નસીબને જોડવાનું જેમને ડહાપણભર્યું" લાગતુ. હેાય એમનું હેાય. મારી પાસે વિગતવાર વર્ણન કરવાની પૂરતી જગ્યા કે ધીરજ નથી. પરંતુ એ એક હકીકત છે કે મહેરબાખાએ એમની કારર્દીિમાં
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy