SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ કર ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં ઃ આપ્યા : દૂરના ચંદ્રને લીધે સમુદ્રનાં મેાામાં ભરતી અને એટ નથી થતા ? સ્ત્રીના શરીરમાં પ્રત્યેક મહિને ફેરફાર નથી થતા ? સૂર્યની ગેરહાજરી લેાકેામાં નિરાશા કે ઉદાસીનતાની વૃત્તિ પેદા નથી કરતી ?’ જરૂર. પરંતુ એના પરથી જ્યાતિષના દાવાને માન્ય ન કરી શકાય. મારી નૌકા તૂટી પડે કે ન તૂટે તે માટે મંગલ કે ગુરુના ગ્રહે શા માટે લેશ પણ દરકાર રાંખવી જોઈએ ? . એ મારી તરફ તદ્દન અવિક્ષુબ્ધ વદને જોઈ રહ્યા. 6 ગ્રહીને તમે આકાશમાં રહેલા પ્રતીકરૂપે માના તે વધારે ડીક રહેશે. ખરું જોતાં એ આપણને અસર નથી કરતા, પરંતુ આપણાં ભૂતકાળનાં કર્માં અસર કરે છે.’ એમણે ઉત્તર આપ્યા : ‘માણુસ ફરીફરી જન્મે છે અને પ્રત્યેક જન્મમાં એનું ભાગ્ય કે પ્રારબ્ધ એની સાથે રહે છે એ સિદ્ધાંત નહિ સ્વીકારા ત્યાં સુધી યાતિષના વાજબીપણાને તમે કદી પણ નહિ સમજી શકેા. એક જન્મમાં પોતાનાં બૂરાં કર્માનું ફળ એને ન મળે તેા બીજા જન્મમાં જરૂર મળે છે. એક જીવન દરમિયાન પેાતાનાં સારાં કર્મોનું શુભ ફળ એને ન મળે તે બીજા જન્મમાં તા જરૂર મળે છે. માણસના આત્મા પરિપૂર્ણ થતાં સુધી આ પૃથ્વી પર અવારનવાર આવ્યા કરે છે. એ સિદ્ધાંતના સ્વીકાર સિવાય જુદાજુદા લેાકેાનાં ભિન્નભિન્ન ભાગ્ય કેવળ અકસ્માત, તર્ક કે દુર્ભાગ્યરૂપ માનવાં પડશે. ન્યાયી ઈશ્વર કે દેવ એવું કેમ ચાલવા દે? નહિ. અમારી માન્યતા છે કે માણસનું મૃત્યુ થાય છે ત્યારે એની ઇચ્છાએ, લાલસા, એના વિચારા અને એનું ચારિત્ર્ય સ્થૂલ શરીરમાં પ્રવેશીને નવજાત શિશુના રૂપમાં આપણી સામે ન આવે ત્યાં સુધી ટકી રહે છે. આગલા જન્મમાં કરાયેલાં શુભાશુભ કર્મોનું સારું કે ખરાબ ફળ વમાન જન્મમાં અથવા ભાવિ જન્મામાં પણ ભેગવવું પડે છે. અમારે ત્યાં ભાગ્યના ખુલાસા એવી રીતે કરવામાં આવે છે. મે તમને કહ્યું કે એક દિવસ તમારી નૌકાના નાશ થવાથી તમારા જીવનમાં સમુદ્રમાં ડૂબવા ગ ંભીર ભય ઊંભે થશે, એને અ
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy