SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે - ૧૮૭ શંકરાચાર્યે મારી તરફ આશ્ચર્યવશ થઈને જોવા માંડયું, મારા ઉતાવળિયા શબ્દો માટે મને તરત જ અફસોસ થયો. ધીર પુરુષની દષ્ટિ વધારે ઊંડે જોઈ શકે છે. ઈશ્વર પિતાના નક્કી કરેલા વખતે પરિસ્થિતિ ઠીક કરવા માટે માનવહથિયારને ઉપયોગ કરશે. રાષ્ટ્રો વચ્ચેનું ઘર્ષણ, મનુષ્યોની અનૈતિકતા, અને લાખે દુખી લેકની કચ્છ સહિષ્ણુતા પિતાની પ્રતિક્રિયારૂપે, કઈક ઈશ્વરી પ્રેરણાવાળા પુરુષને મદદ કરવા પ્રેરિત કરશે. એ રીતે જોઈએ તે પ્રત્યેક સદીને પિતાને આગ ઉદ્ધારક હોય છે. એ ક્રમ વિજ્ઞાનના નિયમ પેઠે કામ કરે છે. આત્મિક અજ્ઞાન અને ભૌતિકવાદને પરિણામે પેદા થયેલી અધમતા જેટલી વધારે હશે એટલી જ લેકોત્તર મહાન વ્યક્તિ જગતની મદદ માટે પ્રકટ થશે.” તમે એમ માને છે કે આપણું વખતમાં પણ કઈક એવી વ્યક્તિ પેદા થશે ?” “આપણી સદીમાં. એમણે સુધાયું. “એ નિશ્ચિત છે. જગતની જરૂર એટલી બધી મોટી છે અને એને આધ્યાત્મિક અંધકાર પણ એવો તે ગાઢ છે કે કેઈક ઈશ્વરી પ્રેરણા પ્રાપ્ત મહાપુરુષને આવિર્ભાવ જરૂર થશે.” “તે પછી તમારે અભિપ્રાય એ છે કે માણસોની વધારે ને વધારે અવનતિ થતી જાય છે ?' મેં પૂછયું. ના. હું એવું નથી માનતો. એમણે સમભાવ સાથે ઉત્તર આપ્યો: “મનુષ્યની અંદર વસતો અલૌકિક અંતરાત્મા આખરે એને ઈશ્વરની પાસે અવશ્ય લઈ આવશે.” પરંતુ પશ્ચિમનાં અમારાં શહેરોમાં એવા લફંગા લેકે વસે છે જેમના વર્તન પરથી આપણને એમ લાગે કે એમની અંદર દાન જ વાસ કરે છે. નવા જમાનાની સોનેરી ટેળીને યાદ કરીને મેં કહેવા માંડયું.
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy