SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ભારતના આધ્યાત્મિક રહેસ્યની ખેાજમાં આગળ વધેલા ચેાગીઓને જ નાત હેાય છે, એવી કેટલીક ક્રિયાઓથી એના પર કાબૂ મેળવવાના આરંભ કરી શકે છે. એ જીવનપ્રવાહ કે કુંડલિની શક્તિને ઊર્ધ્વગામી કરીને એ કરોડરજ્જુમાં ઉપર લઈ જાય છે. તે પછી મગજમાં આવેલા એ છિદ્રમાં એકાગ્ર કરવાનો અભ્યાસ કરે છે. છતાં પણ એની આગળના પડદાને હઠાવી દેવામાં મદરૂપ થનાર ગુરુ ન મળે ત્યાં સુધી એને સંપૂર્ણ સફળતા નથી મળતી. જો એવા ગુરુ એને મળી જાય તેા એ અદશ્ય શક્તિપ્રવાહ એ છિદ્રમાં પ્રવેશીને દી' વનરૂપી અમૃતમાં પલટાઈ જાય છે. એ કામ સહેલું નથી, અને એકલે હાથે કરનાર સાધકને! નાશ નોતરનારું નીવડે છે. પરંતુ એમાં સફળ થનાર સાધક પેાતાની ઇચ્છા પ્રમાણે ગમે ત્યારે મરણને મળતી દશા મેળવી શકે છે અને એથી ખરેખરું મૃત્યુ આવે ત્યારે એમાંથી વિજયી થઈને બહાર આવે છે. સાચું કહીએ તે મૃત્યુની નજીકની પળની પસંદગી એ ગમે ત્યારે કરી શકે છે, અને કડક કસોટીને અંતે પણ એ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવું લાગી આવે છે. એ ત્રણે માં કે સાધનને સિદ્ધહસ્ત કરી ચૂકેલા માનવ સૈકાએ સુધી જીવી શકે છે. મને એવું શિક્ષણ મળેલું છે. એના મૃત્યુ પછી એના શરીરમાં જંતુ નથી પડતાં. સે! વરસ પછી પણ એના શરીરમાં સડેા પેદા થતા નથી.’ બ્રહ્મ કરેલા ખુલાસા માટે મે એમને આભાર માન્યેા, છતાં મને એથી નવાઈ તેા લાગી જ. મને એમાં પુષ્કળ રસ પડયો. પણ એની ખાતરી ન થઈ. શરીરશાસ્ત્રને એમના કહેવા પ્રમાણેના જીવનપ્રવાહની ખબર નથી, અને એવા કેાઈ અમૃતથી પણ એ અજાણ છે. શરીરશાસ્ત્ર સાથે સંબંધ ધરાવતા ચમત્કારાની એ બધી કથાઓ કેવળ ગેરસમજ કે ભ્રાંતિ છે? એ કથાએ માણસને દંતકથાઓથી ભરેલા, લાંબુ જીવનારા જાદુગરો કે દીર્ઘાયુ તાંત્રિકાના જૂના જમાનામાં લઈ જાય છે. છતાં શ્વાસ તથા લેાહીના કાનૂના પ્રવ્ર કરી બતાવેલા પ્રયાગ પરથી એટલુ તા પુરવાર થાય છે જ કે યાગની શક્તિએ કેવળ મનનાં તર’ગરૂપ નથી, અને જેમને એમનો પરિચય ન હોય અથવા યાગની
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy