SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૩ - ૫૧ મી પાટે આ. મુનિસુન્દરસૂરિ થયા. તેમણે ૨૪ વખત સરસ્વતિની આરાધના કરી. તેઓ ૧૦૦૮ અવધાન એક સાથે કરી શકતા હતા. તેથી સહસાવધાની કહેવાયા. તેમણે અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રન્થ વગેરેની રચના કરી. ખંભાતના સુબા દફતરખાને તેમને વાદિ ગોકુલપંડનું બિરૂદ આપ્યું હતું. દક્ષિણમાં કલિકાલ સરસ્વતીનું બિરૂદ મળ્યું. તેમણે ૧૪ વાર અમારિ પ્રર્વતન કરાવ્યું. સંતિકરમ્ ના રચયિતા પણ તેઓ જ હતા. ૧૦૮ વર્તલ વાટકાના નાદને પણ અલગ રીતે જાણી શકતા હતા. તેમણે પોતાના ગુરૂદેવને ૧૦૮ હાથ લાંબો સંસ્કૃતમાં પત્ર લખ્યો હતો. • તેમના શિષ્ય રત્નશેખરસૂરિ થયા. જેમને પણ બાલસરસ્વતીનું બિરૂદ મળ્યું હતું. છે ત્યારપછી હેમવિમલસૂરિ, આનંદવિમલસૂરિ અને દાનસૂરિ થયા. તેમના શિષ્ય જગદ્ગુરૂ આ હીરવિજયસૂરિ થયા. વિ. સં. ૧૫૯૬ આસપાસ પાલનપુરમાં તેમનો જન્મ થયો. વિ. સં. ૧૬૧૦ માં દિક્ષા. વિ. સં. ૧૬૨૧માં આચાર્ય પદવી. વિ. સં. ૧૬૫રમાં કાલધર્મ અકબર મહારાજાના પ્રતિબોધક, અમારિપ્રવર્તનના ઉદ્ગાતા, ૨૦૦૦ શિષ્યોના ગુરૂ, તપાગચ્છીય મહાન જૈનાચાર્ય હીરવિજયસૂરિ થયા. –તેમની તપશ્ચર્યાઃ “૮૧ અઠમ ૦ ૨૨૫ છઠ્ઠઠ ૦ ૩૬૦૦ ઉપવાસ ૦ ૨૦૦૦ આયંબિલ' મા વમરવામીની - પરિવાર પાવલી ૧. સુધર્માસ્વામી ૨. જંબૂસ્વામી ૩. પ્રભવસ્વામી ૪. શય્યભવસૂરીશ્વરજી મ. પ. યશોભદ્રસૂરીશ્વરજી મ. ૬. સંભૂતિવિજયસૂરીશ્વરજી અને ભદ્રબાહુ સ્વામી , ૭. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ. - વીર સંવત્ ૨૧૪ ૮. આર્ય મહાગિરિ મ. આર્ય સુહસ્તિસૂરીશ્વરજી મ. (વીર સંવત ૨૦ વર્ષ)
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy