SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૩ મહામંત્રી વસ્તુપાળ - તેજપાળના નામો ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ થયા. તેજપાળની પત્ની અનુપમાદેવીની પણ પ્રેરણાથી મહામાત્ય વસ્તુપાળે ગિરિરાજ આબુ ઉપર સંગેમરમરના કલાત્મક જિનમંદિરો બંધાવ્યા હતાં. વિસલદેવના દરબારમાં બન્ને અમાત્યો શોભતા હતા. વિસલદેવ ઈ. સ. ૧૨૨૪માં ગાદી ઉપર આવ્યો. નાના તવારિખ ૧,૩૦૦ શ્રી જિનપ્રાસાદ શિખરબધ્ધ કર્યા. ૩,૨૦૨ જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૨,૩૦૦ મહેશ્વરના પ્રાસાદ કરાવ્યાં. ૧,૦૫,૦૦૦ નવીન જિનબિંબ ભરાવ્યાં. ૧,૦૦,૦૦૦ મહેશ્વરનાં લિંગ સ્થાપ્યાં. ૮૪ પાષાણબદ્ધ સરોવર કરાવ્યાં. ૭ ૯૮૪ પોષધશાલા કરાવી. ૦ ૮૮૨ વેદશાલા કરાવી. ૦૭૦૧ તપસ્વીઓને રહેવા સારૂ મઠ કરાવ્યા. ૦ ૪૦૦ પાણીની પરબો કરાવી. ૦ ૩૬,૦૦,૦૦૦ દ્રવ્ય ખર્ચીને જ્ઞાનના ભંડારો કરાવ્યા. ૦ ૩,૦૦,૦૦૦ દ્રવ્ય ખર્ચીને ખંભાતમાં જ્ઞાનભંડાર કરાવ્યા. ૧૮,૯૬,૦૦,૦૦૦ દ્રવ્યનો શ્રી ગિરનાર તીર્થે સય કર્યો. ૦ ૧૨,૫૩,૦૦,૦૦૦ દ્રવ્ય શ્રી આબુતીર્થે ખર્યું. સવંત ૧૨૮૬ ના વર્ષે આબુમાં પાયો નાખ્યો ને સવંત ૧૨૯૨ ના વર્ષમાં આબુમાં ધ્વજા ચઢાવી. ૫૦૦ સિંહાસન હાથીદાંતના કરાવ્યા. ૭૦૦ ધર્મશાલા કરાવી. ૭૦૦ શત્રુકાર મંડાવ્યા એટલે સદાવ્રત કરાવ્યાં. ૫૦૦ બ્રાહ્મણ ચાર વેદના જાણ નિત્ય પ્રત્યે વેદ ભણતા હતા. વર્ષ પ્રત્યે ત્રણ વાર સંઘ પૂજા સ્વામીવાત્સલ્ય કરતા હતા. 63
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy