SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૭ તમાકુ : કપડાનાં કે પુસ્તકોનાં કબાટમાં તમાકુનો પાન મૂકી રાખવાથી જીવાત થતી નથી. ચૂનો ઃ ઉકાળેલા પાણીમાં ચૂનો નાંખવાથી ૭૨ કલાક સુધી તે અચિત રહે છે ચૂનાથી ઘોળેલી દિવાલો પર જીવજંતું જલ્દી આવતા નથી લાકડાના ફર્નિચરમાં કોરો ફોડેલો ચૂનો ઘસવાથી ફર્નિચરમાં જીવાત થતી નથી. સૂકા ચૂનાનો વિવેક પૂર્વક ઉપયોગ બાથરૂમ-મોરીની આસપાસ કરવાથી વાંદા બહાર આવતા નથી. ડામર : ડામર ઉપર નિગોદ થતી નથી, ડામર ઉધઈની ઉત્પત્તિ પણ અટકાવે છે. કેરોસીન : ચામડી ઉપર કેરોસીન, લીંબોળી તેલ, સંતરાનું તેલથી મચ્છર કરડતા નથી. જમીન પર કેરોસીનવાળા પાણીનું પોતું ફેરવવાથી કીડીઓ આવતી નથી. માંકડ, ઉધઈ, વાંદા, કીડી વિગેરે જીવાતો આવતી નથી. રાખ ઃ કીડીની લાઈનની આજુબાજુ રાખ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. અનાજ રાખમાં રગદોળીને ડબ્બામાં ભરવાથી સડતું નથી. કપૂર ઃ કપૂરની ગોટીની ગંધથી ઉંદરો દૂર ભાગે છે, ઘરમાં ઉંદર ખૂબ દોડત હોય ત્યારે કપૂરની ગોટી મૂકી રાખવાથી તેની અવરજવર ઓછી થઈ જાય છે. કપૂરનો પાવડર આજુબાજુ ભભરાવવાથી કીડીઓ પણ ચાલી જાય છે. ગંધારોવજ ઃ લાકડાના કબાટમાં ગંધારોવજ રાખવાથી વાંદા થતા નથી. હળદર કંકુ : કંકુ હળદર ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. ગેરૂ : ગેરૂથી દિવાલ ઘોળવાથી ઉધઈ થતી નથી. રંગ-વાર્નિશ-પાલિશઃ લાકડા પર નિગોદ અને જીવોત્પતિ અટકાવવા માટે. કડવા લીમડો : સુકાપાનના ધુમાડાથી મચ્છર દૂર રહે છે. ફીનાઈલગોળી : બાથરૂમ, વોશબેસિનની જાળી, મોરીની આસપાસ ઉપયાગ કરવાથી વાંદા બહાર આવતા નથી. * ભૂલોને જે તરત ભૂલે ભૂલોને જે ૬ મહિને ભૂલે ભૂલોને ન જ ભૂલે ૨૫૨ તે ભગવાન છે. - . તે ઈન્સાન છે. – તે શેતાન છે. —
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy