SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૫ આ એન્ટિ ઓક્સિડેન્ટ અને ઈમલ્સિફાયર માછલીનો પાઉડર હોય છે. તરીકે વપરાતું લેસિથિન નામનું તત્ત્વ ઈંડામાંથી મેળવાય છે. ફ્રુટ જ્યુસીસ અને સોફ્ટ ડ્રિન્કસમાંથી કચરો દૂર કરવા ક્લેરિફાંઈગ એજન્ટસ્ તરીકે વપરાય છે, જેમાં જિલેટિન અને એગ આબ્લ્યુમિનનો ઉપયોગ થાય છે, જે પ્રાણીઓનાં શરીરમાંથી મેળવાય છે. બળેલા હાડકાં કે હાડકાનો ચારકોલ પણ વપરાય છે. તેમજ ઈસિંગ્લાસ નામનું દ્રવ્ય વપરાય છે, તે માછલીના શરીરમાંથી મળે છે. લગભગ તમામ ચીઝ કંપનીઓ દ્વારા રેનેટ નામના પ્રાણિજ એન્ઝાઈમનો ઉપયોગ થાય છે. વિદેશી બનાવટનાં ચીઝમાં ડુક્કરનાં પેટમાંથી ખેંચેલું પેપ્સિન નામનું એન્ઝાઈમ વાપરવામાં આવે છે, અને ભારતમાં વાછરડાનાં જઠર અને આંતરડા નીચોવીને રેનેટ મેળવાય છે જે ક્રાફટ નામના આયાતી ચીઝમાં વપરાય છે. બિસ્કિટનાં ઉત્પાદકો ૧૦૦% વેજિટેરિયન લખે તો પણ અમુક પ્રક્રિયામાં રેનિન, ટ્રિપસિન અને પેપ્સિન જેવા પ્રાણિજ એન્ઝાઈમ વાપરવામાં આવ્યા હોય છે. ગુજરાતી બહેનો ચાઈનીઝ વાનગીઓ બનાવવા માટે અજિનોમોટો નામનો પાઉડર વાપરે છે તે જાપાનની માછલીમાંથી બનાવાય છે. તેનો વપરાશ શરીર માટે હાનિકારક સાબિત થાય છે. કેક અને બિસ્કિટ્સ અને સુરતની બનાવટની બિસ્કિટોમાં પણ ઈંડાનો તેમજ ચોકલેટની વાત કરીએ તો મોટાભાગની દેશી કે વિદેશી ચોકલેટોમાં પ્રાણીજ તત્ત્વોનો ઉપયોગ થયો હોય છે. ચોકલેટમાં સામાન્યપણે ! ઈંડાની સફેદી અથવા આબ્લ્યુમિન, નૈસિથિન, સેલોક અને જિલેટિનનો વપરાશ થાય છે. યુ.કે. માં બનતી નેસલેની કિટ-કેટ ચોકલેટમાં ગાયનાં રેનેટનો ઉપયોગ થાય છે. ટોબલોરોન, નગેટ, ટોબલોર અને સુસાટ વગેરે ચોકલેટોમાં ઈંડા અને મધનો ઉપયોગ થાય છે. બાળકો જે ચોકલેટ ખાતા હોય છે એમાં નિકલની માત્રા એટલા વધુ પ્રમાણમાં હોય છે કે લાંબાગાળે એમનાં મગજ ઉપર અસર થાય છે. ડેરીમિલ્ક, પેપ્સી, કોકાકોલાની હાનિકારકતા માટે અવાર નવાર ન્યુઝ પેપરોમાં આવવા છતાં આજ સુધીની એક પણ સરકારે એની સામે કશા પગલા લીધા નથી. ધડાકાબંધ વેચાય છે. વેચાણો વધારવા કોકાકોલા, પેપ્સી સહિતનાં કોલ્ડ્રીંક્સો આંખો મીંચીને જાહેરખબરો કરવામાં આવે છે. જેનો બોજો ભાવો વધારતા રહીને આપણી ઉપર જ નાંખવામાં આવે છે. આ પીણામાં પી. એચ. ડબલ્યુ (જે સંડાસ સાફ કરવામાં ફિનાઈલ એસિડ અને કર્ણાટકનાં કોલાહલ ગામનાં ખેડૂતો ખેતીમાં જંતુનાશક તરીકે પાક ઉપર છાંટે છે.) એ ૨.૫% છે. જે આપણે પેટમાં પધરાવીયે છીએ. બીજા ૧૨૦
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy