SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ કર્મ-વિચાર ભાગ-૩ કરવા માંડે છે અને સંઘયણમાં વજઋષભનારાચસંહનનનામકર્મ મદદ કરીને સર્વોત્તમ મજબૂતીવાળું શરીર બનાવડાવે છે. આકૃતિમાં સમચતુરગ્ન સંસ્થાનનામકર્મ મદદ કરીને સર્વોત્તમ આકૃતિવાળું શરીર બનાવે છે. જો કોઈ મહા તપસ્વી મુનિ થવાના હોય તો તેના શરીરને, ઉદ્યોતનામકર્મ મદદ આપીને શીતળ-પ્રકાશમય બનાવે છે. જેવો પ્રકાશ ચંદ્રનો છે, તેવો પ્રકાશ તે મહાત્માના શરીરનો કેટલેક અંશે હોય છે. આ રીતે મનુષ્યોમાં ઉપર ગણાવેલાં ત્રીસ નામ કર્મો સિવાય બીજાં નીચે પ્રમાણે યોગ્યતા પ્રમાણે નામ કર્મો વધારે હોય છે. તે ઉપર ગણાવ્યાં છે. તેનું લિસ્ટ૨ વૈક્રિયશરીરનામકર્મ તથા આહારકશરીરનામકર્મ. ૨ વૈક્રિયશરીરઅંગોપાંગનામકર્મ તથા આહારકશરીરસંગોપાંગનામકર્મ. ૨ વૈક્રિયસંઘાતનનામકર્મ, આહારકસંઘાતનનામકર્મ. ૮ વૈક્રિય-વૈક્રિયબંધનનામકર્મ, આહારક-આહારકબંધનનામકર્મ. વૈક્રિય-તૈજસબંધનનામકર્મ, આહારક-તૈજસબંધનનામકર્મ. વૈક્રિય-કાશ્મણબંધનનામકર્મ, આહારક-કાશ્મણબંધનનામકર્મ. વૈક્રિય-તૈજસ-કાશ્મણબંધનનામકર્મ, આહારક-તૈજસ-કાશ્મણબંધનનામકર્મ. ૫ સમચતુન્નસંસ્થાનનામકર્મ, ન્યગ્રોધસંસ્થાનનામકર્મ, સાદિસંસ્થાન નામકર્મ, કુન્નસંસ્થાનનામકર્મ, વામન સંસ્થાનનામકર્મ. ૫ વજઋષભનારાચસંઘયણનામકર્મ. ઋષભનારાચસંઘયણનામકર્મ. નારાચસંઘયણનામકર્મ. અર્ધનારાચસંઘયણનામકર્મ કિલિકાસંઘયણનામકર્મ. ૧ અશુભવિહાયોગતિનામકર્મ,
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy