SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દંડનાયક વિમલના પૂર્વજ શ્રી નીના શ્રેષ્ઠી પણ આ જ ભિન્નમાલનગરનું એક રત્ન હતું. આ રત્નનાં અજવાળાં જ્યારે ભિન્નમાલને અજવાળી રહ્યાં હતાં, ત્યારની ભિન્નમાલની ભવ્યતા તો કોઈ ઓર જ હતી. ત્યારે દરેક જ્ઞાતિ આ નગરીમાં આબાદી પૂર્વક વસતી હતી. મંદિરો, ધર્મશાળાઓ અને સંસ્કૃત પાઠશાળાઓથી ભરચક આ નગરીમાં ત્યારે જૈન ધર્મની જાહોજલાલી તો ચરમ-સીમાએ હતી અને એનું શ્રેય સેંકડોની સંખ્યામાં અસ્તિત્વ ધરાવતાં જિનમંદિરો અને ઉપાશ્રયોને ફાળે જતું હતું. સંસ્કારની જેમ સંપત્તિના અને ધર્મની જેમ ધનના પણ ત્યારે ભિન્નમાલમાં અખૂટ ભંડાર ભર્યા પડ્યા હતા. એથી ત્યારે ત્યાં એવી સુંદર વ્યવસ્થા પ્રચલિત હતી કે, કોટિપતિ શ્રેષ્ઠીઓના નિવાસ કોટની અંદર રહેતા ને શ્રેષ્ઠીઓ કોટની બહાર વસતા, કોટમાં વસનારો સમૂહ ત્યારે કોટિધ્વજ તરીકે ઓળખાતો, એ કોટિપતિ-સમૂહના મહાલયો-મહેલો પર લહેરાતો રહેતો ધ્વજ દિન-રાત ગરીબ-ગુરબાંઓને ઈચ્છિત દાન માટે આમંત્રણ આપતો રહેતો અને એ આમંત્રણ મુજબ આવનારા યાચકો ઇચ્છાથીય વધારે મેળવીને એ કોટિધ્વજોની કીર્તિને દિગદિગંતમાં ગજાવતા રહેતા. આવા કોટિધ્વજોની સંખ્યા ભિન્નમાલમાં ઠીક ઠીક મોટી હતી અને એમાં પણ નીના શ્રેષ્ઠીની નામના-કામના તો વળી અજોડ હતી. દાનવીરતા, ધર્મપ્રિયતા, ઔદાર્ય, પરદુઃખભંજનતા આ અને આવા અનેક ગુણોથી શોભતા નીના શ્રેષ્ઠી જો ભિન્નમાલના નાક ગણાતા હતા, તો પછી જૈનસંઘનાં મોભી તરીકે એ શોભતા હોય, એમાં આશ્ચર્ય શું હતું ? ભિન્નમાલના જૈનસંઘમાં એમનું સ્થાન માનનીય હતું અને એમાં કારણ તરીકે એમના જીવન-તીરે રચાયેલી પુણ્ય, પૈસા, પ્રતિષ્ઠાની ત્રિવેણી કરતાં, એમની વૃત્તિમાં પ્રતિષ્ઠિત બનેલી ધર્મમયતા વધુ ભાગ ભજવતી હતી. સામાન્ય માણસો સંપત્તિનું સ્વામીત્વ પામવા, દેવો પાછળ દોડધામ કરતા હોય છે. છતાં એમની એ દોડને નરી નિષ્ફળતા જ મંત્રીશ્વર વિમલ છે ૫
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy