SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ --- - - - - - -- -- ---. , પ્રભા] પ્રાણાયામનિરૂપણ તેથી પ્રાણ પિતાની મેળે સુષષ્ણમાં પ્રવેશ કરવા લાગે છે. મૂલસ્થાનની ઉપર તથા નાભિની નીચે કંનું ઠેકાણું છે. એ કંઇ કટપક્ષીના ઈડા જેવો છે. સિદ્ધાસન (ગુમાસને) બેસી પછી બંને હાથથી ઉપરાઉપર રાખેલા બંને ઘુંટીની પાસે ભાગ પકડી રાખી બંને પગની પાનીઓ વડે એક સો ને એકવાર પૂર્વોક્ત કંદપર તાડન કરવું તે શક્તિચાલનમુદ્રાનું તાડનનામનું બીજું અંગ કહેવાય છે. ઉપરની રેતે શક્તિચાલનમુદ્રાનાં બને અંગ સાધી કુંડલીને ચલાયમાન કરી પછી સિદ્ધાસને બેસી ભસ્ત્રિકાકુંભક કરવાથી તે કુંડલી શીધ્ર જાગી ઊઠે છે. પછી પદ્માસને બેસી પ્રણવના કે સોહન જપપૂર્વક નાભિમાં રહેલા સૂર્યનું નાભિના આકુંચ દ્વારા આકુંચન કરી તે કુંડલિનીને ઊળે ચલાયમાન કરી બ્રહ્મરંધ્રમાં પહોંચાડવાથી યોગી મૃત્યુના ભયથી મોકળો થાય છે. કંડલીને ચલાયમાન કરી તેને બ્રહ્મરંધ્રમાં સ્થિર રાખવાથી ચોગી ઊધરસ, શ્વાસ અને વૃદ્ધાવસ્થાથી મુક્ત થાય છે. શક્તિચાલનમુદ્રાના અભ્યાસથી શરીરમાંની બધી નાડીઓના મેલ નિવૃત્ત થઈ જાય છે. જે પ્રતિબંધક સંસ્કારનું બાહુલ્ય ન હોય તે અભ્યાસીને આ અભ્યાસના પરિપાક ચાળીસ દિવસમાં થાય છે. ભસ્ત્રિકાવેલા ઘર્ષણ મધ્યમવેગથી એટલે બહુ ઊતાવળે નહિ તેમ બહુ ધીમે નહિ એમ કરવું. ધાસ બને તેટલા લાંબા લેવા મૂકવા. એમ કરવાથી કુંભકના સમયમાં વૃદ્ધિ થશે. કુંભકવેલા નામિ, હૃદય અને કંડનું સંકોચન યથાશક્તિ રાખવું. ના કે સેહના જ સમયે ભગવતી કુંડલિની પર મનવૃત્તિ સ્થિર કરવાની આવશ્યકતા છે. ઉંડાણમાં જપ થયાં જાય છે એવી ભાવના માત્ર રાખવી; અને મનોવૃત્તિ ભગવતી કુંડલિનીઉપર જોડવી. ભસ્ત્રિકાકુંભક કરવાથી જે પ્રસ્વેદ આવ્યો હોય તેવડે પિતાના
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy